________________
કધ્યાકધ્ય=સાધુએ ઉત્સર્ગથી જે વસ્તુ કથ્ય છે તે જ લેવી જોઇએ. અપવાદથી તો પુરાલંબનથી અકથ્ય પણ લઇ શકાય.
શુભ ધર્મવાળા દેહની રક્ષા માટે જે લેવામાં આવે તે પરિગ્રહ નથી. કેમકે તેમાં મૂછ નથી. (૧૩૮) एषैव निष्परिग्रहता स्पष्टीक्रियतेकल्प्याकल्प्यविधिज्ञः, संविग्नसहायको विनीतात्मा । दोषमलिनेऽपि लोके, प्रविहरति मुनिर्निरुपलेपः ॥ १३९ ॥
कल्प्याकल्प्यं-शुद्धाशुद्धं पिण्डादि तस्य विधिः-विधानं तं जानाति कल्प्याकल्प्यविधिज्ञः, तथा संविग्नाः-सद्धर्माणः सहाया यस्य स तथा । तथा विनीतात्मा-स्वभावविनीतः । दोषमलिनेऽपि-दूषणदूषितेऽपि लोकेजने प्रविहरति-आस्ते मुनिः-साधुनिरुपलेपो-रागादिविरहित इति ॥ १३९ ॥
આ જ નિષ્પરિગ્રહતાને ગ્રંથકાર સ્પષ્ટ કરે છે– ગાથાર્થ– કમ્બાકધ્યના વિધાનના (=આજ્ઞાના) જાણકાર, સંવિગ્નો જેને સહાયક છે, જે સ્વભાવથી વિનીત છે, તે મુનિ દોષોથી દૂષિત પણ લોકમાં નિર્લેપ રહે છે.
ટીકાર્થ- કપ્યાકધ્યના વિધાનના જાણકાર- શુદ્ધ-અશુદ્ધ આહાર આદિના વિધાનના જાણકાર. (કથ્ય વસ્તુની પ્રાપ્તિ ન થાય અને તે વિના ચાલે તેમ ન હોય તો અલ્પદોષવાળી અકથ્ય વસ્તુથી પણ શરીર-સંયમની રક્ષા કરવી, ક્યારે કચ્ચ પણ અકથ્ય બને અને ક્યારે અકથ્ય પણ કચ્ય બને આમ કણ્યાકથ્યના વિધાનના જાણકાર.)
સંવિગ્નો-શુભધર્મવાળા, અર્થાત્ સારા આચારવાળા. નિર્લેપ=રાગાદિથી રહિત. (૧૩) कथं पुनर्दोषवल्लोकान्तःपाती दोषैर्न लिप्यत इत्याहयद्वत् पङ्काधारमपि, पङ्कजं नोपलिप्यते तेन । धर्मोपकरणधृतवपुरपि, साधुरलेपकस्तद्वत् ॥ १४० ॥
પ્રશમરતિ • ૧૧૦