________________
અને સદ્ધર્મમાં રહેલાઓનું દુ:ખથી રક્ષણ કરે છે, તેથી ‘શાસ્ત્ર’ છે એમ નિશ્ચયથી કહેવાય છે.
ટીકાર્થ– રાગ-દ્વેષથી ઉદ્ધૃતચિત્તવાળા=પ્રીતી-અપ્રીતિથી આલિંગન કરાયું છે હૃદય જેમનું તેવા, અર્થાત્ પ્રબળ રાગ-દ્વેષવાળા.
હિતશિક્ષા આપે છે— હે જીવ ! તું વિપરીત અશુભ ન કર અને શુભને સદા કર. તેથી તને ધર્મ થાય, ઇત્યાદિ હિતશિક્ષા આપે છે. એમ આર્યાના અર્ધા ભાગથી જ્ઞાસુ અનુશિષ્ટી એ ધાતુને (=ધાતુના અર્થને) સ્પષ્ટ કર્યો છે.
સદ્ધર્મમાં રહેલાઓનું=સચારમાં રહેલાઓનું.
ભાવાર્થ- શાસ્ત્ર ધર્મ કરવાની હિતશિક્ષા આપે છે અને ધર્મમાં રહેલાઓનું દુ:ખથી રક્ષણ કરે છે માટે શાસ્ત્ર કહેવાય છે. (૧૮૭) शासनसामर्थ्येन तु, संत्राणबलेन चानवद्येन ।
युक्तं यत्तच्छास्त्रं तच्चैतत् सर्वविद्वचनम् ॥ १८८ ॥ શાસનસ્ય-શિક્ષળસ્ય સામર્થ્ય-વનિતા તેન । તુરવધારળે । મંત્રાળસ્યપાલનસ્થ વાં-સામર્થ્ય તેન । ચ: સમુન્દ્વયે । ૩મયેન થંમૂર્તન ? અનવદ્યુનनिर्दोषेण, युक्तं - सहितं यत्किमपि तच्छास्त्रं, उच्यत इति शेषः । तच्च શાસ્ત્રનેતત્-નાપ્રસિદ્ધ સર્વવિદ્વવનં-નિનોત્તમિતિ ॥ ૧૮૮ II
.
॥ કૃતિ થાધિાર: ॥
ગાથાર્થ (આથી) જે વચન નિર્દોષ શાસનસામર્થ્યથી (=યથાર્થ પ્રતિપાદન કરવાની શક્તિથી) અને નિર્દોષ રક્ષણબળથી (=રક્ષણ કરવાની શક્તિથી) યુક્ત હોય તે જ શાસ્ત્ર છે. આવું શાસ્ર વિશ્વપ્રસિદ્ધ આ સર્વજ્ઞવચન છે. (૧૮૮)
આ પ્રમાણે કથાધિકાર પૂર્ણ થયો.
૧. સર્વજ્ઞ વચન સંસારનું અને મોક્ષનું યથાર્થ સ્વરૂપ બતાવીને સંસારથી મુક્ત બનવાને અને મોક્ષને મેળવવાની હિતશિક્ષા આપે છે. જે જીવો આ હિતશિક્ષાને હૃદયમાં ધારણ કરીને તે પ્રમાણે આચરણ કરે છે તે જીવો દુઃખથી સર્વથા મુક્ત થાય છે. આથી નિરુક્તિથી સિદ્ધ થયેલ શાસ્ત્ર શબ્દ સર્વજ્ઞવચનમાં જ ઘટે છે. સર્વજ્ઞ સિવાયના વચનમાં નિરુક્તિથી સિદ્ધ થયેલ શાસ્રશબ્દનો અર્થ ઘટતો નથી.
પ્રશમરતિ - ૧૪૧