________________
અહીં કોઇક આ પ્રમાણે છેકમ | સંયોગ સ્વરૂપ
કોને હોય | પહેલો |દિક | પરિણામિક + ક્ષાયિક
સિદ્ધોને બીજો |ત્રિક | ઔદયિક + પરિણામિક + ક્ષાયિક
કેવળીને ત્રીજે ત્રિક | ઔદયિક + પારિણામિક + લાયોપથમિક
ચારે ગતિના જીવોને, ચોથો | ચતુષ્ઠ ઔદયિક + પરિણામિક + ઔપશમિક + લાયોપથમિક ચારે ગતિના જીવોને પાંચમો ચતુષ્ઠ ઔદયિક + પરિણામિક + ક્ષાયિક + લાયોપથમિક ચારે ગતિના જીવોને, છો |પંચક | ઔદયિક + પારિણામિક + ઓપશમિક + ક્ષાયિક + ક્ષાયોપથમિક મનુષ્યોને
આ પ્રમાણે યથોક્ત સંખ્યાવાળા છ ભાંગા જ ગ્રહણ કરવા, વીસ ભાંગા ગ્રહણ ન કરવા. કારણ કે છ ભાંગા જ ઘટે છે. કહ્યું છે કે- “દ્વિક સંયોગવાળો ભાંગો સિદ્ધોને, ત્રિક સંયોગવાળો એક ભાગો કેવળીને અને એક ભાંગો સંસારી જીવોને, ચતુષ્ક સંયોગવાળા બે ભાંગા ચારે ગતિમાં અને પંચક સંયોગવાળો ભાંગો મનુષ્યોને હોય.” (પ્ર.સા. ૧૨૯૭)
આ પ્રમાણે સિદ્ધ સંબંધી દિકસંયોગી એક ભાગો, કેવળી સંબંધી ત્રિકસંયોગી એક, જેણે ખંડશ્રેણિ કરી છે, અર્થાત્ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે અને ઉપશમશ્રેણિમાં રહેલ છે તેવા મનુષ્ય સંબંધી પંચકસંયોગી એક, ચાર ગતિ દ્વારા આવેલા બાર ભાંગા આમ બધા મળીને ૧૫ ભાંગા થાય છે.
આ વિષે કહ્યું છે કે- “ઔદયિક-પથમિક-પારિણામિક એ ત્રિક સંયોગી ભંગ ચારે ગતિમાં હોવાથી ચાર થાય. એ રીતે ક્ષાવિકભાવથી યુક્ત ઔદયિક વગેરે ભાવો ચારે ગતિમાં હોવાથી ચાર થાય. ઉપશમભાવથી યુક્ત અને ક્ષાયિક ભાવથી રહિત પૂર્વોક્ત ભાવો ચારે ગતિમાં હોવાથી ચાર થાય.’
ઉપશમ શ્રેણિમાં રહેલા (સાયિક સમ્યકત્વી) જીવમાં, સિદ્ધમાં અને કેવળીમાં એક એક ભાંગો થાય. આ પ્રમાણે સાન્નિપાતિકના પંદર ભેદો અવિરુદ્ધ છે=ઘટી શકે તેવા છે અને વિસ ભેદોનો સંભવ નથી.' (પ્ર.સા. ૧૨૯૫-૧૨૯૬) (૧૯૭).
પ્રશમરતિ • ૧૫૪