________________
विधिः-एकैको भेदोऽनन्तपर्यायः-अनेकभेदः प्रोक्तः-तीर्थकरैः प्रतिपादितः । कैः कृत्वेत्याह-स्थितिः-कायस्थानरूपा 'अस्संखोसप्पिणी'त्यादिका आयुष्करूपा च 'बावीसई सहस्सा' इत्यादिरूपा। अवगाहस्तु अङ्गलासंख्येयभागमात्रादारभ्य यावत् समस्तलोकावगाहः, ज्ञानं वस्तुविशेषावबोधो, दर्शनं वस्तुसामान्यवबोधः, आदिशब्दाद्यथासंभवं चारित्रसुखवीर्यादिग्रहस्तेषां पर्याया-अवस्थाविशेषाः, धर्मा इत्यर्थः, ते तथा तैरिति ॥ १९३ ॥
સર્વ જીવભેદોમાં ઘટી શકે તેવા ભેદોને કહે છે– ગાથાર્થ– આ પ્રમાણે જીવોના અનેક ભેદોમાં એક એક ભેદના સ્થિતિ, અવગાહના, જ્ઞાન-દર્શન આદિના પર્યાયોથી (=અવસ્થાઓથી) અનંતા પર્યાયો (=ભેદો) કહ્યા છે.
ટીકાર્થ– આ આર્યામાં આર્યાના બીજા અર્ધભાગમાં (=ઉત્તરાર્ધમાં) ચોથો ગણ પાંચ માત્રાનો અને પાંચમો ગણ ત્રણ માત્રાનો છે. તે આ પ્રમાણે–
જ્ઞાનના પર્ય; એ સ્થળે જ્ઞાન આ ચોથો ગણ છે. તેમાં પાંચ માત્રા છે. શના આ પાંચમો ગણ છે. તેમાં ત્રણ માત્રા છે.
આ પ્રમાણે=એક ઉત્તર પર્યાયની વૃદ્ધિથી, અર્થાત્ એક જીવની સ્થિતિ આદિનો જે પર્યાય હોય, તેનાથી બીજા જીવનો અધિક પર્યાય હોય, તેનાથી ત્રીજા જીવનો અધિક પર્યાય હોય એ પ્રમાણે. સ્થિતિ કાયસ્થિતિરૂપ અને આયુષ્યરૂપ. [જેમ કે અંતર્મુહૂર્તથી ૩૩ સાગરોપમ સુધી આયુષ્યનો કાળ છે. સર્વ જીવોનું સમાન આયુષ્ય હોતું નથી. કોઇનું અંતર્મુહૂર્ત, કોઇનું બે અંતર્મુહૂર્ત, કોઇનું ત્રણ અંતર્મુહૂર્ત, કોઇનું બે વર્ષ, કોઈનું પલ્યોપમ વર્ષ, કોઇનું સાગરોપમ વર્ષ, એમ વધતાં વધતાં કોઇનું ૩૩ સાગરોપમનું આયુષ્ય હોય છે. આમ અંતર્મુહૂર્તથી ૩૩ સાગરોપમ સુધી અનેક ભેદો થાય છે. આથી આયુષ્ય પ્રમાણે જીવોના પણ અનેક ભેદો થાય છે.] આ સ્થિતિ શાસ્ત્રમાં સંઘસuિrito ઈત્યાદિ અને વાવીરૂં. ઇત્યાદિ ગાથાઓમાં જણાવી છે. તે ગાથાઓ અને તેમનો અર્થ આ પ્રમાણે છે
પ્રશમરતિ • ૧૪૫