________________
(૧૨) જીવ અધિકાર इदमेव वचनं संक्षेपत आहजीवाजीवाः पुण्यं, पापास्वसंवराः सनिर्जरणाः । बन्धो मोक्षश्चैते, सम्यक् चिन्त्या नव पदार्थाः ॥ १८९ ॥
जीवाः-चैतन्यलक्षणाः १ अजीवा-धर्मास्तिकायादयः २ अत्र द्वन्द्वः, पुण्यं वक्ष्यमाणं ३, पापमपि ४, एवमास्रवोऽपि ५ संवरोऽपि ६ अत्रापि द्वन्द्वः । सनिर्जरणा-निर्जरायुक्ता इत्यर्थः ७, बन्धः-कर्मोपादानं ८ मोक्षः-कर्माभावः ९, एते सम्यक् चिन्त्या नव पदार्था इति व्यक्तमिति । नन्वन्यौते सप्त तत्त्वान्यभिहिताः कथमत्र नव पदार्था उक्ता इति ?, उच्यते, अन्यत्र पुण्यपापयोर्बन्धग्रहणेनैव ग्रहणं कृतं, इह तु तौ पृथग्विवक्षितौ इति न दोष તિ / ૧૮૨ //
આ જ વચનને સંક્ષેપથી કહે છે– ગાથાર્થ– જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ આ નવ પદાર્થો (તત્ત્વો) સારી રીતે વિચારવા જોઇએ.
ટીકાર્થ– જીવ જેનું લક્ષણ ચૈતન્ય છે તે જીવ છે, અર્થાત્ જેનામાં ચૈતન્ય હોય તે જીવ. અધર્માસ્તિકાય વગેરે અજીવ છે. પુણ્ય વગેરેનું સ્વરૂપ હવે પછી કહેવામાં આવશે. બંધ એટલે કર્મોનું ગ્રહણ કરવું, અર્થાત્ કર્મોનો આત્માની સાથે ક્ષીર-નીરવતુ સંબંધ તે બંધ. મોક્ષ એટલે કર્મનો અભાવ, અર્થાત્ સઘળાં કર્મોનો ક્ષય તે મોક્ષ. પ્રશ્ન- અન્ય ગ્રંથોમાં સાત પદાર્થો કહ્યા છે તો અહીં નવ કેમ કહ્યા?
ઉત્તર- અન્ય ગ્રંથોમાં બંધના ગ્રહણથી જ પુણ્ય-પાપનું ગ્રહણ કર્યું છે, અર્થાત્ પુણ્ય-પાપનો બંધમાં સમાવેશ કર્યો છે. અહીં તે બેની અલગ વિવક્ષા કરી છે. માટે આમાં કોઈ દોષ નથી. (૧૮૯).
एतान् विवरीषुस्तावज्जीवानाहजीवा मुक्ताः संसारिणश्च संसारिणस्त्वनेकविधाः । लक्षणतो विज्ञेया, द्वित्रिचतुष्पञ्चषड्भेदाः ॥ १९० ॥
પ્રશમરતિ • ૧૪૨