________________
કોળિયા સુધી અપાઈ ઊણોદરી છે. તે કોળિયાથી આરંભી સોળ કોળિયા સુધી દ્વિભાગ ઊણોદરી છે. સત્તર કોળિયાથી આરંભી ચોવીસ કોળિયા સુધી પ્રાપ્ત ઊણોદરી છે. પચીસ કોળિયાથી એકત્રીસ કોળિયા સુધી કિંચિદ્ર ઊન ઊણોદરી છે. (પ્ર.સા.ગા. ૨૭૦ની ટીકામાં અવાંતર ગાથા)
વૃત્તિસંક્ષેપ-વૃત્તિ એટલે વર્તન, અર્થાત્ ભિક્ષા. તેનો સંક્ષેપ કરવો. જેમ કે મારે આજે આટલા જ ઘરોમાં ભિક્ષા લેવી. રસત્યાગ=દૂધ વગેરે રસનો (=વિગઇનો) ત્યાગ. કાયક્લેશ=(કાયાને કષ્ટ થાય તેવો) કેશલોચ વગેરે તપ.
સંલીનતા=ઇન્દ્રિય-મનનો સંવર કરવો. (ઇન્દ્રિય-મનની નિરર્થક પ્રવૃત્તિને રોકવી.) (૧૭૫)
अथाभ्यन्तरमाहप्रायश्चित्तध्याने, वैयावृत्त्यविनयावथोत्सर्गः । स्वाध्याय इति तपः, षट्प्रकारमभ्यन्तरं भवति ॥ १७६ ॥ प्रायश्चित्तं-कृतातीचारस्यालोचनादिदानं दशधा १ । ध्यानं चतुर्धा, तत्रातरौद्रत्यागेन धर्मशुक्लध्यानविधानं, ततः पदद्वयस्य द्वन्द्वः २ । वैयावृत्त्यविनयौगुरुभक्तदानादि । गुर्वभ्युत्थानादिकरणरूपौ ३-४ । तथोत्सर्ग:-कायोत्सर्गः ५ । स्वाध्यायो-वाचनादिः पञ्चधा ६ । इति तपः षट्प्रकारमाभ्यन्तरं भवतीति ।। १७६ ।।
હવે અત્યંતર તપને કહે છેગાથાર્થ પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વૈયાવૃત્ય, વિનય, વ્યુત્સર્ગ અને સ્વાધ્યાય એમ છ પ્રકારનો અભ્યતર તપ છે.
ટીકાર્થ– પ્રાયશ્ચિત્ત=લાગેલા અતિચારોની આલોચના વગેરે કરવું. તેના દશ પ્રકાર છે.
ધ્યાન=ધ્યાન ચાર પ્રકારનું છે. તેમાં આર્ત-રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને ધર્મ-શુક્લ ધ્યાન કરવું. વૈયાવૃજ્ય=ગુરુને આહાર આદિનું દાન કરવું.
પ્રશમરતિ • ૧૩૩