________________
ટીકાર્થ– (૧) અનિત્યત=ભૌતિક સર્વપદાર્થોની અનિત્યતા વિચારવી. (૨) અશરણત્વ=જન્મ આદિથી પરાભવ પામેલા જીવનું કોઇ રક્ષણ કરનાર નથી એમ વિચારવું. (૩) એકત્વ=હું એકલો જ છું ઇત્યાદિ ચિંતવવું. (૪) અન્યત્વ સ્વજનોથી હું જુદો જ છું એમ ચિંતન કરવું. (૫) અશુચિત્વ શરીરના મૂળ કારણ શુક્ર-લોહી વગેરે અશુચિરૂપ છે ઇત્યાદિ વિચારવું.
(૬) સંસાર=માતા થઈને પત્ની થાય છે ઇત્યાદિ વિચારવું. (૭) કર્માસવઃખુલ્લાં આસ્રવ દ્વારા કર્મોને આત્મામાં પ્રવેશ કરાવે છે એમ ચિંતન કરવું.
(૮) સંવર=આગ્નવોને બંધ કરવાથી કર્મો આત્મામાં આવતા અટકે છે એમ વિચારવું. (૯) નિર્જરા–તપથી કર્મોનો ક્ષય થાય એમ વિચારવું. (૧૦) લોકવિસ્તાર=લોકની લંબાઈ વગેરે ચિંતવવું. (૧૧) ધર્મસ્વાખ્યાત=જિનોએ ભવ્યોના હિત માટે આ સુંદર ધર્મ કહ્યો છે એમ વિચારવું.
(૧૨) બોધિની સુદુર્લભતા=બોધિ (=સમ્યગદર્શન) અતિશય દુર્લભ છે એમ વિચારવું. (૧૪૯-૧૫૦) तत्रानित्यत्वमाहइष्टजनसंप्रयोगर्द्धिविषयसुखसंपदस्तथाऽऽरोग्यम् । देहश्च यौवनं जीवितं च सर्वाण्यनित्यानि ॥ १५१ ॥ इष्टजनसंप्रयोगश्च ऋद्धिसम्पच्च विषयसुखसम्पच्च, सम्पच्छब्दः प्रत्येकं सम्बध्यते, ता अनित्याः, तथा आरोग्यादीनि सर्वाण्यनित्यानीति ॥ १५१ ॥ તેમાં અનિત્યત્વભાવનાને કહે છે
પ્રશમરતિ • ૧૧૭