________________
कालं-ग्रीष्मादिकं दुर्भिक्षादिकं वा, तथा क्षेत्रं-रूक्षादिकं तथा मात्रांस्वकीयमाहारगमन] प्रमाणं स्वात्म्यं यद् यस्य प्रियं पथ्यं च, द्रव्यं माहिषं दधि (क्षीरं) गुरु, गव्यादि दधिक्षीरं लघु । इह समासः कार्यः स्यात् । तथा स्वबलं-निजसमार्थ्यं ज्ञात्वा-बुध्वा योऽभ्यवहार्य-अन्नादि भुङ्कते किं મેષનૈતત ? | શરૂ૭ ||
તેમાં કાળ આદિ પ્રમાણે કરાતું ભોજન અજીર્ણ વગેરે દોષને કરનારું ન થાય. આથી ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– જે સાધુ કાલ, ક્ષેત્ર, માત્રા, સામ્ય, દ્રવ્યગુણ-લાઘવ અને સ્વબળને જાણીને તે પ્રમાણે આહાર વાપરે છે તેને ઔષધોથી શું? અર્થાત્ તેને ઔષધોની જરૂર પડતી નથી.
સવિવેચન ટીકાર્થ(૧) કાલ– ગ્રીષ્મ, વર્ષા, શીત વગેરે કાળ છે. તેમાં ગ્રીષ્મઋતુમાં ખારા, ખાટા અને તીખા રસવાળા તથા ભારે પદાર્થોનો ત્યાગ... મધુર, તૂરા અને કડવા પદાર્થોનું સેવન... વર્ષોમાં મિષ્ટ અને ભારે પદાર્થોનો ત્યાગ... ખાટા, ખારા અને હલકા પદાર્થોનું ઊણોદરીપૂર્વક સેવન... શીતઋતુમાં મધુર, સ્નિગ્ધ કે ખાટા-ખારા પદાર્થો અધિક અનુકૂળ રહે છે... અથવા દુર્મિક્ષ વગેરે કાળ સમજવો.
(૨) ક્ષેત્ર- સૌરાષ્ટ્ર આદિ દેશ છે. રૂક્ષતાપ્રધાન દેશોમાં આહાર અધિક લેવાય છે. સ્નિગ્ધ (ભેજવાળા) દેશોમાં આહાર અલ્પ લેવાય છે. કાશ્મીર જેવા શીતપ્રધાન દેશોમાં આહાર ઘણો લેવાય છે.
(૩) માત્રા- માત્રા એટલે પ્રમાણ. ખોરાક પચાવવાની તાકાત કેટલી છે તે જાણીને સુખેથી પચે તેટલો આહાર લેવો જોઈએ.
(૪) સામ્ય- સામ્ય એટલે પોતાની પ્રકૃતિને અનુકૂળ. આયુર્વેદમાં પથ્યનું ઘણું મહત્ત્વ છે. તેમ છતાં પથ્ય પણ ખોરાક પોતાની પ્રકૃતિને અનુકૂળ ન હોય તો તે શરીરમાં વિકૃતિ પેદા કરે છે. દરેક વ્યક્તિની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હોય છે. આથી સાધુએ કયાં કયાં દ્રવ્યો સ્વપ્રકૃતિને
પ્રશમરતિ - ૧૦૮