________________
કે શરીરને અલમસ્ત બનાવવા ભોજન ન કરે. એથી જ સાધુ ત્રણલેપ અને અક્ષોપાંગ જેટલો જ આહાર કરે -
(૧) સાધુ વ્રણલેપ જેટલો આહાર વાપરે. શરીરમાં પડેલા વ્રણમાં (ચાંદામાં) લેપ કેટલો લગાડવાનો હોય ? લેપના થપેડા કરવાના હોય? ના. જેટલા લેપથી ત્રણમાંથી રસી નીકળી જાય અને તેમાં રૂઝ આવી જાય તેટલો જ લેપ જોઈએ. તેનાથી અધિક લેપ નકામો છે. તે પ્રમાણે સાધુએ જેટલા આહારથી સંયમનો નિર્વાહ થઈ શકે તેટલો જ આહાર લેવો જોઇએ.
વ્રણલેપ દષ્ટાંતની ઘટના બીજી રીતે પણ થઈ શકે. જુદી જુદી વ્યક્તિને જુદી જુદી જાતના વ્રણ હોય છે. કોઇનું વ્રણ લીંબડાનું કડવું તેલ ચોપડવાથી જ મટે, કોઇનું ત્રણ જવના લોટની લોપરી લગાડવાથી જ મટે, કોઇનું વ્રણ ઘી આદિ ચિક્કણા પદાર્થોના લેપથી જ મટે. એ પ્રમાણે કોઈ સાધુનું શરીર રુક્ષ આહારથી અનુકૂળ રહેતું હોય તો કોઈ સાધુનું શરીર સ્નિગ્ધ આહારથી અનુકૂળ રહેતું હોય. આમ સાધુએ જેવા પ્રકારના આહારથી શરીર અનુકૂળ રહેતું હોય તેવા પ્રકારના આહારની જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ અને પ્રતિકૂળ આહારનો ત્યાગ કરવો જોઇએ.
(૨) આ વિષયમાં બીજું દષ્ટાંત છે અક્ષોપાંગ. જેમ ગાડાના પૈડામાં તેલનું ઉંધણ પૈડું બરાબર ચાલે તેટલું જ જોઈએ તેમ શરીરને આહાર પણ સંયમનો નિર્વાહ થાય તેટલો જ જોઇએ.
(૩) સાધુ સર્ષની જેમ આહાર વાપરે. સર્પ ભક્ષ્યને મુખમાં લઈને ચાવતો નથી, કિંતુ સીધું ગળામાં જ ઉતારી દે છે. એ પ્રમાણે સાધુએ પણ સ્વાદને વધારવા આહારને જમણી દાઢમાંથી ડાબી દાઢમાં અને ડાબી દાઢમાંથી જમણી દાઢમાં ફેરવીને ચાવવો નહિ જોઇએ.
(૪) આ વિષયમાં બીજું દષ્ટાંત પુત્રમાંસના ભક્ષણનું છે. તેવા પ્રકારના વિકટ સંયોગમાં મૂકાઈ ગયેલા પિતાને મૃતપુત્રના માંસનો આહાર કરવાનો પ્રસંગ આવી પડે તો પુત્રના માંસનું ભક્ષણ કરતાં તેને ટેસ આવે ? નહિ. આ વિષે ચિલતિપુત્રે મારેલી પુત્રી સુષમાના માંસનું ભક્ષણ દૃષ્ટાંતરૂપ છે. સુષમાના માંસનું ભક્ષણ કરતાં પિતાને અને ભાઈઓને તેમાં રસાસક્તિ ન હતી, કિંતુ શરીરને ટકાવવા માટે જ માંસનું ભક્ષણ
પ્રશમરતિ • ૧૦૬