________________
તથા ગ્રંથકારે બીજું પણ વૈરાગ્યનું નિમિત્તે કહ્યું છે. (તે આ પ્રમાણે)
ગાથાર્થ– દેશ, કુળ, દેહ, વિજ્ઞાન, આયુષ્ય, બળ, ભોગ અને વિભૂતિની વિષમતાને જોઇને વિદ્વાનોને આ નરકાદિભવ રૂપ સંસારમાં પ્રીતિ કેવી રીતે થાય ? અર્થાત્ ન જ થાય. (દેશ=કોઇ આર્યદેશમાં જન્મે છે, તો કોઈ અનાર્ય દેશમાં જન્મે છે. કુળ કોઈ ઉચ્ચકુળમાં જન્મે છે, તો કોઇ નીચકુળમાં જન્મે છે. દેહ=કોઇની કાયા કંચન જેવી, તો કોઇની કાયા કાળી કોલસા જેવી. વિજ્ઞાન કોઇ પંડિતશિરોમણિ, તો કોઇ મૂર્ખશેખર. આયુષ્ય=કોઈ ગર્ભમાં જ મરે, તો કોઈ અનેક સાગરોપમો સુધી જીવે. બળ એક સબળ તો બીજો દુર્બળ.
ભોગ કેટલાક વિવિધ વિષયોના સુખને અનુભવે છે, તો કેટલાક સુખનાં સાધનો ન હોવાથી કે ભોગના સાધનો હોવા છતાં ભોગવી ન શકવાથી ભોગ માટે નિસાસા નાખે છે.
વિભૂતિઃકોઇને ત્યાં ધનની છોળો ઉછળે, તો કોઇને ત્યાં હાંડલાં કુસ્તી કરે. આવી વિષમતાઓને જોઇને વિદ્વાનોને આ સંસારમાં પ્રીતિ કેવી રીતે થાય ?) (૧૦૦)
अपरिगणितगुणदोषः, स्वपरोभयबाधको भवति यस्मात् । पञ्चेन्द्रियबलविबलो, रागद्वेषोदयनिबद्धः ॥ १०३ ॥ तथा-अपरिगणिता-अनादृता गुणदोषा येन स तथा । ईदृशः सन् किमित्यत आह-स्वश्च-आत्मा परश्च-अन्यस्तौ तथा तावेवोभयं तस्य बाधकः-पीडाकारी भवति यस्मात्कारणात, तथा पञ्चेन्द्रियबलेन विबलो-विगतबलः स तथा। पञ्चेन्द्रियाणि जेतुं न शक्त इत्यर्थः । तथा रागद्वेषयोः पूर्वोक्तयोरुदयः-अनुभवनं तेन निबद्धो-नियन्त्रितः स तथा । सदोत्कृष्टरागद्वेष इत्यर्थः ॥ १०३ ॥
ગાથાર્થ– જેણે ગુણ-દોષોનો આદર કર્યો નથી, અર્થાત્ ગુણ-દોષોને ઓળખીને ગુણોને મેળવવાનો અને દોષોને છોડવાનો પ્રયત્ન જેણે કર્યો નથી
પ્રશમરતિ • ૭૯