________________
ગાથાર્થ– સર્વ સાધુઓનો લોક જ આધાર છે. તેથી લોકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધનો ત્યાગ કરવો જોઈએ.
ટીકાર્થ– લોકવિરુદ્ધ જન્મ-મરણના સૂતકના કારણે લોકોએ જે ઘરોમાં ભિક્ષાનો નિષેધ કર્યો હોય તે ઘરોમાંથી (કે નિંદ્ય ઘરોમાંથી) ભિક્ષા લેવી વગેરે લોકવિરુદ્ધ છે. ધર્મવિરુદ્ધ=મઘ-માંસ આદિનું સેવન કરવું વગેરે ધર્મવિરુદ્ધ છે.' (૧૩૧) अथ लोकानुवृत्तिमेव समर्थयतेदेहो नासाधनको, लोकाधीनानि साधनान्यस्य । सद्धर्मानुपरोधात्, तस्माल्लोकोऽभिगमनीयः ॥ १३२ ॥
देहः-शरीरं नासाधनकः, किंतु ससाधन एव । लोकाधीनानि-जनायत्तानि साधनानि-आहारोपधिप्रभृतीन्यस्य-देहस्य, तत् किं ? धर्मानुपरोधिनः(धतः)सद्धर्मस्य-क्षमादेरविरोधाल्लोकोऽभिगमनीयः, धर्मविरुद्धत्यागेनानुवर्तनीय इति // ૨૩૨ //.
હવે લોકના અનુસરણનું જ સમર્થન કરે છે
ગાથાર્થ– આહાર-વસ્ત્રાદિ સાધન વિના શરીર નથી=શરીરનો નિર્વાહ ન થાય. આહાર-વસ્ત્રાદિ સાધનો લોકને આધીન છેઃલોકો પાસેથી ભિક્ષા દ્વારા મેળવવાના છે. તેથી સાધુએ ક્ષમાદિ ધર્મને બાધ ન આવે તે રીતે લોકને અનુસરવું જોઇએ, અર્થાત્ ધર્મવિરુદ્ધનો (અને લોકવિરુદ્ધનો) ત્યાગ કરવા દ્વારા લોકને અનુસરવું જોઇએ. (૧૩૨)
लोकानुवर्तने उपायमाहदोषेणानुपकारी, भवति परो येन येन विद्विष्टः ।
स्वयमपि तद् दोषपदं, सदा प्रयत्नेन परिहार्यम् ॥ १३३ ॥ ૧. અહીં ઓઘનિર્યુક્તિની ૪૪૪મી ગાથા પણ ઉપયોગી છે. તે ગાથાનો ભાવાર્થ
આ પ્રમાણે છે- “જે દેશ વગેરેમાં જે જીવો દીક્ષા, વસતિ અને આહાર-પાણીને આશ્રયીને જુગુણિત છે, તે દેશ વગેરેમાં તે જીવો જિનશાસનમાં નિષિદ્ધ કરાયેલા છે. આથી તેમનો પ્રયત્નથી ત્યાગ કરવો, અર્થાત્ તેમને દીક્ષા ન આપવી, તેમની વસતિમાં ન રહેવું, તેમના ઘરોમાંથી આહાર-પાણી ન લેવા.”
પ્રશમરતિ • ૧૦૩