________________
મૃતપર્યાયપ્રરૂપણાને– આગમના ભેદોની પ્રરૂપણાને. કોઈ એક સૂત્રના એક અર્થને કહે, કોઈ એક જ સૂત્રના ઘણા અર્થોને કહે. આથી શ્રુતપર્યાયોની પ્રરૂપણાને સાંભળીને.
સ્થૂલભદ્રમુનિની વિક્રિયાને- વિક્રિયાના કારણે કરાયેલા શેષ શ્રુતદાનના નિષેધને સાંભળીને. તેમણે સ્વભગિનીને સિંહનું રૂપ કરવારૂપ ગર્વથી પોતાને બતાવ્યો હતો.
સંપર્ક-ઉદ્યમથી સુલભ– સંપર્ક એટલે પંડિતનો સંબંધ. ઉદ્યમ એટલે ઉત્સાહ. પંડિતનો સંબંધ અને પોતાને ભણવાનો અતિ ઉત્સાહ એ બેથી શ્રુતજ્ઞાન સુલભ છે. ચરણ-કરણ સાધક-શ્રુતજ્ઞાન પ્રસિદ્ધ એવા ચરણ-કરણને સિદ્ધ કરનારું છે.
આવા શ્રુતજ્ઞાનને મેળવીને સર્વથા ગર્વ ન કરવો જોઇએ. કારણ કે કહ્યું છે કે “જ્ઞાન મદ-માનનો નાશ કરનારું છે. આવા જ્ઞાનથી જે મદ કરે છે તેનો વૈદ્ય કોણ થાય? અર્થાત્ કોઈ તેનો વૈદ્ય ન થાય. જેને અમૃત વિષ રૂપે પરિણમે છે તેની ચિકિત્સા કેવી રીતે કરાય? અર્થાત્ કોઈ રીતે ન કરાય.” (૯૫-૯૬)
तदेवं प्रत्येकमार्याद्वयेनाष्टमदस्थानानां व्युदासमभिधाय सांप्रतं (तैः) सहितानामार्याद्वयेन फलमाह
एतेषु मदस्थानेषु, निश्चये न च गुणोऽस्ति कश्चिदपि । केवलमुन्मादः स्वहृदयस्य संसारवृद्धिश्च ॥ ९७ ॥
एतेषु मदस्थानेषु निश्चये-परमार्थचिन्तायां न च गुणोऽस्ति कश्चिदपि ऐहिकादिः, केवलमुन्मादो भवति । कस्य ? स्वहृदयस्य । तथा संसारવૃદ્ધિતિ સુમતિ | ૨૭ ||
આ પ્રમાણે બે બે આર્યાઓથી પ્રત્યેક સદસ્થાનનો ત્યાગ કરવાનું કહેવા દ્વારા આઠ સદસ્થાનોના ત્યાગને કહીને હવે મદયુક્ત જીવોને મળતા ફળને બે આર્યાઓથી કહે છે– ગાથાર્થ– વાસ્તવમાં જાતિ આદિ મદના સ્થાનોમાં આ લોકસંબંધી કે
પ્રશમરતિ • ૭૪