________________
(૫) કરણ (૬) અર્થ અધિકાર तदुदयाद्धेतुहेतुमद्भावेन यद्भवति तदार्याद्वयेनाह— कर्मोदयाद्भवगतिर्भवगतिमूला शरीरनिर्वृत्तिः । વૈજ્ઞારિન્દ્રિયવિષયા, વિષનિમિત્તે ૪ સુઘવુઃછે ॥ ૩૧ ॥ कर्मोदयाद्-उदिते कर्मणि भवगतिः, तन्मूला शरीरनिर्वृत्तिः, देहादिन्द्रियनिर्वृत्तिः, तस्यां विषयसक्तिः, विषयनिमित्ते च सुखदुःखे जीवस्य
ભવતઃ ॥ ૨૨ ||
કર્મના ઉદયથી કારણ-કાર્યભાવથી જે થાય છે તે બે આર્યાઓથી કહે છે— ગાથાર્થ– કર્મના ઉદયથી સંસારની (ચાર ગતિઓમાંથી કોઇપણ એક) ગતિ થાય છે=જીવ ગતિમાં જન્મ લે છે. સંસારની ગતિના કારણે શરીરની રચના થાય છે. દેહના કારણે ઇન્દ્રિયોની રચના થાય છે. ઇન્દ્રિયોની રચના થયે છતે જીવને વિષયોમાં આસક્તિ થાય છે. વિષયોના નિમિત્તે જીવને સુખ-દુ:ખ થાય છે. (અનુકૂળ વિષયો મળે તો સુખ થાય છે. પ્રતિકૂળ વિષયો મળે તો દુ:ખ થાય છે.) (૩૯)
ततः किमित्याहुः
दुःखद्विद् सुखलिप्सुर्मोहान्धत्वाददृष्टगुणदोषः । यां यां करोति चेष्टां, तया तया दुःखमादत्ते ॥ ४० ॥
दुःखद्विट्-अशर्मद्वेषी सुखलिप्सुः - शर्माभिलाषी जीवो मोहेनान्धोविवेकलोचनविकलः स तथा तस्य भावस्तत्त्वं तस्मात्, િિમત્યાહ-અષ્ટगुणदोषो - अज्ञातगुणदोषो यां यां करोति - विधत्ते चेष्टां - अशुभक्रियां तया तया ૩:વમાવત્તે-ગૃહાતીત્યાર્યાવાર્થ: ॥ ૪૦ ||
તેથી શું થાય છે તે કહે છે—
ગાથાર્થ— દુઃખનો દ્વેષી અને સુખનો રાગી જીવ મોહથી અંધ બનેલો હોવાથી ગુણ-દોષના જ્ઞાનથી રહિત છે. આથી તે જે જે ચેષ્ટાને કરે છે તે તે ચેષ્ટાથી દુ:ખને ગ્રહણ કરે છે=દુ:ખને પામે છે.
ટીકાર્થ– મોહથી અંધ=વિવેક રૂપ લોચનથી રહિત.
પ્રશમરતિ ૦ ૩૭