________________
ટીકાર્થ– શ્રુત-આગમ. શીલ=ભૂલોત્તર ગુણોના ભેદવાળું ચારિત્ર. કષપટ્ટક=પરીક્ષાનું સ્થાન.
(જવી રીતે કષોટીનો પથ્થર સોનાની પરીક્ષાનું સ્થાન છે તેવી રીતે શ્રત અને શીલની પરીક્ષા કરવાનું સ્થાન વિનીત પુરુષ છે. કારણ કે શ્રુતશીલનું મહત્ત્વ વિનયના આધારે છે. વિચક્ષણ પુરુષો અમુક વ્યક્તિમાં શ્રત અને શીલ છે કે નહિ? છે તો કેવું છે? એનો નિર્ણય કરવા તેનામાં વિનય કેવો છે એ તપાસે છે. આથી વિનીત મનુષ્ય શ્રુત અને શીલની પરીક્ષાનું મુખ્ય સ્થાન છે.) (૬૮)
अपि चगुर्वायत्ता यस्माच्छास्त्रारम्भा भवन्ति सर्वेऽपि । तस्माद् गुर्वाराधनपरेण हितकाङ्क्षिणा भाव्यम् ॥ ६९ ॥
शास्त्रारम्भाणां गुर्वायत्ततो गुराधनपरेण-आचार्याद्यासेवापरेण हितकाक्षिणामोक्षाभिलाषिणा शिष्येण भाव्यं-भवितव्यमित्यर्थः ॥ ६९ ॥ વળી–
ગાથાર્થ– બધાય શાસ્ત્રોનો પ્રારંભ ગુરુને અધીન બનીને થાય છે. આથી હિતકાંક્ષી શિષ્ય ગુરુની આરાધનામાં તત્પર બનવું જોઈએ. ટીકાર્થ– હિતકાંક્ષી=મોક્ષાભિલાષી. ગુરુની આરાધનામાં તત્પર=આચાર્યાદિની સેવામાં તત્પર. (શાસ્ત્રોનો પ્રારંભ એટલે સૂત્રપાઠમાં અને અર્થશ્રવણમાં પ્રવૃત્તિ. સૂત્રપાઠ અને અર્થશ્રવણ કાલગ્રહણ આદિ વિધિપૂર્વક થાય. કાલગ્રહણ આદિ ગુરુ વિના ન થઈ શકે. આમ શાસ્ત્રોનો પ્રારંભ ગુરુને અધીન બનીને થાય છે.) (૬૯). ___ गुरौ वोपदिशति सति एतत् परिभावयतो बहु मन्तव्यमेव, नोद्वेगः कार्य इति दर्शयन्नाह
धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्मनिर्वापी । गुरुवदनमलयनिसृतो, वचनसरसचन्दनस्पर्शः ॥ ७० ॥
પ્રશમરતિ • ૫૬