________________
વળી
ગાથાર્થ– આરોગ્ય, આયુષ્ય, બળ અને લક્ષ્મી ચંચલ છે. ધર્મમાં ઉત્સાહ વિનશ્વર છે. (તેથી) આરોગ્ય વગેરે પામીને મારે સર્વપ્રકારે હિતકાર્યમાં ઉદ્યમ કરવો જોઈએ.
ટીકાર્થ- ધર્મમાં =ક્ષમા વગેરે ધર્મમાં. હિતકાર્યમાં=શાસ્ત્રોનું અધ્યયન વગેરે હિતકાર્યમાં. ઉદ્યમ–ઉત્સાહ. (૬૫) 'हितकार्ये शास्त्राध्ययनादा'वित्युक्तं, तच्च विनयमृते न भवत्यतो विनीतेन भाव्यमित्यावेदयन्नाह
शास्त्रागमादृते न हितमस्ति न च शास्त्रमस्ति विनयमृते । तस्माच्छास्त्रागमलिप्सुना विनीतेन भवितव्यम् ॥ ६६ ॥ शास्त्रम्-आचारादि गुरुपरम्परागतं तदेवागमः-शास्त्रमेवागमस्तस्मादृते-विना न हितमस्ति । न च शास्त्रमस्ति विनयमृते, तस्माच्छास्त्रागमलिप्सुना-शास्त्रागमलाभमिच्छता विनीतेन भवितव्यमिति ॥ ६६ ॥
શાસ્ત્રોનું અધ્યયન આદિ હિતકાર્યમાં એમ કહ્યું અને શાસ્ત્રાધ્યયન વિનય વિના ન થાય. આથી વિનીત બનવું જોઈએ એમ જણાવતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– શાસ્ત્રરૂપ આગમ વિના હિત નથી. વિનય વિના શાસ્ત્ર નથી (=શાસ્ત્રનો બોધ થતો નથી.) તેથી શાસ્ત્રરૂપ આગમ મેળવવાની ઇચ્છાવાળા જીવે વિનીત બનવું જોઈએ. ટીકાર્થ– શાસ્ત્ર=ગુરુ પરંપરાથી આવેલ આચારાંગ આદિ શાસ્ત્ર. (૬૬) सत्स्वपि कुलादिषु अविनीतो न शोभत इत्याहकुलरूपवचनयौवनधनमित्रैश्वर्यसंपदपि पुंसाम् । विनयप्रशमविहीना न शोभते निर्जलेव नदी ॥ ६७ ॥ ૧. ટીકામાં સમુલાય શબ્દનો લક્ષ્મી અર્થ કર્યો હોવાથી અહીં તે અર્થ લખ્યો છે. પણ કોઇ શબ્દકોષમાં સમુદાય શબ્દનો લક્ષ્મી અર્થ જોવામાં આવ્યો નથી. મોટી ટીકામાં ધન-ધાન્યાદિનો સમૂહ એવો અર્થ કર્યો છે. તે અર્થ બરાબર ઘટે તેવો છે.
પ્રશમરતિ • ૫૪