________________
હોય, (૯) અનિત્યાદિ બાર ભાવનાઓનું અથવા મહાવ્રતોની પચીસ ભાવનાઓનું જેણે ચિંતન કર્યું હોય, અર્થાત્ ભાવનાઓથી જેણે પોતાના આત્માને ભાવિત કર્યો હોય, (૧૦) જિનશાસનમાં બતાવેલા પદાર્થોની પરસ્પર અધિક અધિક વિશેષતાઓને જાણતો હોય, (૧૧) વૈરાગ્યમાર્ગમાં રહેલો હોય, (૧૨) સંસારવાસથી ત્રાસી ગયો હોય, (૧૩) જેની મતિ મોક્ષરૂપ કાર્ય પ્રત્યે પ્રેમવાળી છે, તેવા જીવને આ શુભ વિચાર આવે છે. ટીકાર્થ– દર્શન તત્ત્વો પ્રત્યે શ્રદ્ધા. ચારિત્ર=સામાયિક વગેરે પાંચ પ્રકારે છે. ધ્યાન=ધર્મધ્યાન-શુક્લધ્યાન એમ બે પ્રકારે છે. (૫૯) ટીકાર્થ– અહીં પ્રાણવધ ઇત્યાદિથી મૂલગુણથી યુક્ત હોય એમ કહ્યું . નવકોટિ ઇત્યાદિથી ઉત્તરગુણોથી યુક્ત હોય એમ કહ્યું. નવકોટિ આ પ્રમાણે છે
સ્વયં હિંસા ન કરવી, બીજાની પાસે હિંસા ન કરાવવી, બીજાઓ સ્વયં હિંસા કરતા હોય તેની અનુમોદના ન કરવી. ખાદ્ય વસ્તુ સ્વયં પકાવવી નહિ. બીજાઓની પાસે પકાવરાવવી નહિ. બીજાઓ સ્વયં પકાવતા હોય તેની અનુમોદના ન કરવી. વસ્તુ સ્વયં ખરીદવી નહિ. બીજાઓની પાસે ખરીદાવવી નહિ. બીજાઓ સ્વયં ખરીદતા હોય તેની અનુમોદના ન કરવી.
આ નવકોટિ બે પ્રકારે છે. પ્રથમની છ અવિશુદ્ધિ કોટિ છે. પછીની ત્રણ વિશુદ્ધિ કોટિ છે. (નિર્દોષ આહારની સાથે દોષિત આહાર ભેગો થઈ ગયો હોય ત્યારે જે દોષિત આહાર અલગ કરી લીધા પછી બાકીનો આહાર નિર્દોષ ગણાય=વિશુદ્ધ ગણાય તે દોષ વિશુદ્ધ કોટિ કહેવાય. જે દોષિત આહાર અલગ કરવા છતાં બાકીનો આહાર વિશુદ્ધ ન બને તે અવિશુદ્ધિ કોટિ કહેવાય.)
ઉદ્ગમ એટલે ઉત્પત્તિ. જેમ કે રૂપમાં તે ય પુષ્કળ (દ.વૈ.અ. ૫ ગા. પ૬) અહીં ઉદ્ગમ શબ્દનો ઉત્પત્તિ અર્થ કર્યો છે. (૬૦) ટીકાર્થ– લોક=જીવ અને અજીવનો આધારક્ષેત્ર.
પ્રશમરતિ • પર