________________
अन्येषां-विवक्षितपुरुषापेक्षया अपरेषां यो विषयः-शब्दादिः स्वाभिप्रायेणरागान्निजाकूतेन भवति पुष्टिकरः तुष्टिकरो वा-पोषोत्पादकस्तोषोत्पादको वा स्वमतेः स्वमत्या वा विकल्पो-विकल्पनं तत्राभिरता-आसक्ताः स्वमतिविकल्पाभिरताः द्वेषवशात् तमेव विषयं पुनरनिष्टतया द्विषन्त्यन्य इति ।। ५१ ॥
આ જ વિષયની ભાવનાને કહે છે
ગાથાર્થ– (કયો વિષય સારો છે અને કયો વિષય ખરાબ છે એ નિર્ણય થઈ શકે એમ છે જ નહિ. કારણ કે) જે વિષય બીજાઓને પોતાના આશયથી (રાગના કારણે) પુષ્ટિ કરે છે (આનંદ આપે છે) સ્વમતિ કલ્પનામાં લીન બનેલા બીજાઓ વળી (અપ્રીતિ થવાથી) તે જ વિષય ઉપર જ કરે છે=અનિષ્ટ હોવાથી દ્વેષ કરે છે. | [એકને અમુક સ્ત્રીનું રૂપ ગમે છે તો બીજાને તે જ સ્ત્રીનું રૂપ ગમતું નથી. એકને અમુક મિષ્ટાન્ન પ્રિય હોય છે તો બીજાને એ જ મિષ્ટાન્ન અપ્રિય હોય છે. એકને પવન ગમે છે તો બીજાને પવન જરાય ગમતો નથી. આ વિષયમાં આવાં તો અનેક દૃષ્ટાંતો મળી શકે.] (૫૧)
एवं च सति अस्य जीवस्य नैकान्तेन किञ्चिदिष्टमनिष्टं वाऽस्तीति दर्शयन्नाहतानेवार्थान् द्विषतस्तानेवार्थान् प्रलीयमानस्य । निश्चयतोऽस्यानिष्टं, न विद्यते किञ्चिदिष्टं वा ॥ ५२ ॥ तानेवार्थान्-शब्दादीन् द्विषतः-अप्रीयमाणस्यास्य जीवस्येति योगः । तानेवार्थान् प्रलीयमानस्य-आश्रयतो निश्चयतो-निश्चयमाश्रित्यास्येति योजितमेवानिष्टम्असुन्दरं नैव विद्यते किञ्चित्-किमपि वस्त्विष्टं वा-प्रीतमिति ॥ ५२ ॥
આ પ્રમાણે હોતે છતે આ જીવને એકાંતે કંઇ પ્રિય નથી અને એકાંતે કંઈ અપ્રિય નથી એમ જણાવતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– તે જ વિષયો ઉપર દ્વેષ કરતા અને (કારણ બદલાતાં) તે જ વિષયોમાં લીન બનતા આ જીવને નિશ્ચયથી કંઈ અપ્રિય નથી કે કંઈ પ્રિય નથી. [પવનંજયને પહેલાં અંજનાસુંદરી ઉપર રાગ હતો. પછી નિમિત્ત મળતાં દ્વેષ થયો. ફરી નિમિત્ત મળતાં રાગ થયો. એક વ્યક્તિને
પ્રશમરતિ • ૪૬