________________
सज्जनाः, गुणसारग्रहणदक्षाः-गुणस्वीकारकुशलाः, भवन्तीति शेषः, क्व ? दोषमलिनेऽपि-सदोषेऽपि, वस्तुनीत्यध्याहारः । स्वभावादेव दोषपरित्यागेन ગુણગ્રહિ: સત્યુષા મવન્તીતિ ભાવાર્થ. / ૧ //
આ પ્રમાણે સજ્જનોને પ્રાર્થના કરી. અથવા સજ્જનો સ્વભાવથી જ દોષોને છોડીને ગુણોને જ ગ્રહણ કરશે એ પ્રમાણે જણાવતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– સ્વાભાવિક મતિથી અતિશય નિપુણ પણ કયો વાદી પુરુષ સજ્જનોના સૌજન્યમાં સ્વભાવ સિવાય બીજું કારણ કહેશે ? અર્થાત્ નહિ કહે. કારણ કે સજ્જનો દોષમલિન પણ વસ્તુમાં (= જીવમાં) સારભૂત ગુણોને ગ્રહણ કરવામાં કુશળ હોય છે.
ટીકાર્થ– સ્વાભાવિક મતિથી જન્મથી જ સહજ રીતે પ્રાપ્ત થયેલી બુદ્ધિથી. સત્પરુષો સ્વભાવથી જ દોષોને છોડીને ગુણોને ગ્રહણ કરનારા હોય છે. એવો અહીં ભાવાર્થ છે. (૯)
अथैवंविधायाः सद्भिर्गृहीतायाः को गुणः स्यादित्याहसद्भिः सुपरिगृहीतं, यत्किञ्चिदपि प्रकाशतां याति । मलिनोऽपि यथा हरिणः, प्रकाशते पूर्णचन्द्रस्थः ॥ १० ॥
सद्भिः सुपरिगृहीतम्-अतिशयेनाङ्गीकृतम्यत्किमपि-असारमपि, आस्तां सारम्, प्रकाशतां-प्रकटताम्, याति-गच्छति इति दार्टान्तिक :, दृष्टान्तमाह-मलिनोऽपि-कृष्णोऽपि, आस्ताममलिनः, यथा-येन प्रकारेण, हरिणो-मृगः, प्रकाशतेशोभते, कीदृशः ? पूर्णचन्द्रस्थः-पौर्णमासीशशिमध्यस्थित इति आर्यार्थः ।। १० ।।
સજ્જનોથી ગ્રહણ કરાયેલી આવા પ્રકારની પ્રશમરતિ (ગ્રંથ)થી શો લાભ થાય તે કહે છે
ગાથાર્થ– સજ્જનોએ જે કોઈપણ વસ્તુને સારી રીતે ગ્રહણ કરી હોય તે વસ્તુ પ્રસિદ્ધિને પામે છે. જેમ કે કાળું પણ હરણ પૂર્ણિમાના ચંદ્રમાં રહેલું શોભે છે.
ટીકાર્થ– જે કોઈપણ વસ્તુને=જે કોઇ અસાર પણ વસ્તુને. સજ્જનોના સ્વીકારથી અસાર પણ વસ્તુ શોભાને પામે છે તો સાર વસ્તુ શોભાને
પ્રશમરતિ - ૧૨