________________
सुगमम् । किंतु द्वन्द्वं-युग्मं, समासः-संक्षेपार्थो, भावार्थस्तु पूर्वार्याभावનાતોડવસેય તિ / રૂર II
ગાથાર્થ– (માયા-લોભ એ બેનું મૂળ રાગ હોવાથી) માયા-લોભ એ બેની રાગસંજ્ઞા છે. (ક્રોધ-માનનું મૂળ દ્વેષ હોવાથી) ક્રોધ અને માન એ બેની ષ સંજ્ઞા છે. આ પ્રમાણે સંક્ષેપથી અર્થ કહ્યો.
ટીકાર્થ– આ પ્રમાણે સંક્ષેપથી અર્થ કહ્યો. ભાવાર્થ તો પૂર્વની આર્યાઓની ભાવનાથી જાણવો. (૩૨)
अनन्तरं रागद्वेषा(वुक्ता)वथ तयोरेव सामान्यसामर्थ्यमाहमिथ्यादृष्ट्यविरमणप्रमादयोगास्तयोर्बलं दृष्टम् । तदुपगृहीतावष्टविधकर्मबन्धस्य हेतू तौ ॥ ३३ ॥ 'मिथ्यादृष्टिरिति' मिथ्यात्वम्-आभिग्रहिकादि पञ्चधा । न विरमणम्अविरतिः पृथिव्यादिषु द्वादशविधम् । प्रमादो-मद्यादिः पञ्चप्रकारः, योगाःसत्यादयः पञ्चदशविधाः, ततो द्वन्द्वः, ते तयोः-अनयो रागद्वेषयोर्बलम्आदेशकारि सैन्यम्, दृष्टं-जिनैः कथितम्, तैरुपगृहीतौ-मिथ्यात्वादिभिः कृतसामर्थ्यो सन्तावष्टविधकर्मबन्धस्य हेतू-कारणे भवतः ॥ ३३ ॥
છે રૂતિ વાદધિવેશ: II હમણાં જ રાગ-દ્વેષ કહ્યા. હવે તે બેના જ સામાન્ય સામર્થ્યને કહે છે–
ગાથાર્થ– મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, યોગ એ ચાર રાગ-દ્વેષનું સૈન્ય છે એમ જિનોએ કહ્યું છે. એમનાથી સામર્થ્યવાળા કરાયેલા=એમની સહાયથી તે બે આઠ પ્રકારના કર્મબંધના હેતુ બને છે. ૧. કર્મબંધમાં મુખ્ય કારણ રાગ-દ્વેષ છે, તે છતાં રાગ-દ્વેષને મિથ્યાત્વાદિની સહાય
તો લેવી જ પડે છે. આથી મિથ્યાત્વાદિની જેટલી તીવ્રતા તેટલી રાગ-દ્વેષમાં તીવ્રતા આવે. મિથ્યાત્વાદિ જેટલે અંશે મંદ તેટલે અંશે રાગ-દ્વેષ મંદ હોય. આમ છતાં એ વાત પણ ચોક્કસ છે કે રાગ-દ્વેષમાં મંદતા આવ્યા વિના મિથ્યાત્વાદિમાં મંદતા આવે નહિ કે મિથ્યાત્વાદિ દૂર ન થાય. એટલે મિથ્યાત્વાદિને મંદ કરવા કે દૂર કરવા રાગ-દ્વેષને મંદ બનાવવા જ જોઈએ. આમ રાગ-દ્વેષ અને મિથ્યાત્વાદિ પરસ્પર સાપેક્ષ છે. પણ તેમાં પ્રધાનતા રાગ-દ્વેષની છે.
પ્રશમરતિ ૦ ૨૮