________________
૨ ગોત્ર– ઉચ્ચ, નીચ.
૫ અંતરાય– દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યંતરાય.
જો કે અહીં કોઇ પણ અભિપ્રાયથી ૯૭ પ્રકૃતિઓ કહી છે. તો પણ બંધ પ્રસ્તુત હોવાથી બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ લેવી. નામની પિંડપ્રકૃતિઓના પેટાભેદો ગણવાથી ૬૭ થાય. સાત કર્મની ઉત્તર પ્રકૃતિઓ (૫૫)માં ૬૭ ઉમેરવાથી અને સમ્યક્ત્વમોહનીય અને મિશ્ર મોહનીય એ બેને બાદ કરવાથી ૧૨૦ થાય. કહ્યું છે કે– ૪ ગતિ, ૫ જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણ, ૪ આનુપૂર્વી, ૨ વિહાયોગતિ એમ ૩૯ પ્રકૃતિ થઇ. તેમાં ૨૮ ઉમેરતાં નામની કુલ ૬૭ પ્રકૃતિ થાય. બાકીના સાતકર્મોની ૫૫ પ્રકૃતિઓ છે. ૬૭માં ૫૫ ઉમેરતાં અને સમ્યક્ત્વ મોહનીય મિશ્ર મોહનીય એ બે બાદ કરતાં કુલ ૧૨૦ પ્રકૃતિઓ થાય.
મૂળ ગાથામાં વિશતિજ એ સ્થળે વિજ્ઞતિષ્ઠા શબ્દ છે. (કારણ કે ક સ્વાર્થમાં આવ્યો છે અને વિંશતિ શબ્દ સ્ત્રીલિંગ છે. એટલે વ્યાકરણના નિયમ પ્રમાણે સ્ત્રીલિંગમાં વિશતિષ્ઠા થાય. પણ યારો સ્ત્રી તો દૂસ્વા વચિત્ એ સૂત્રથી હ્રસ્વ થતાં વિશતિજ શબ્દ બન્યો છે.
(આ સૂત્ર પાણિની વ્યાકરણનો છે. શ્રીસિદ્ધહેમવ્યાકરણનો ચાપો નવ્રુતં નામ્નિ (૨-૪-૯૮) એવું સૂત્ર છે.
બીજાઓ તો મૂળગાથાના પૂર્વાર્ધનો પાઠ પન્નુ નવ ચાવિશતિઋતુ:યક્ષપ્તશુળમેવ: એ પ્રમાણે કહે છે. (આ પાઠમાં પદ્મ અને નવ એ બે પદ અસમસ્ત છે–સમાસ વિના છૂટા છે, તથા વિશતિની આગળ નથી. આટલો પાઠભેદ છે.)
આ પાઠાંતરને આશ્રયીને પદ્મ અને નવ એ બે પદ પ્રથમા બહુવચનાંત છે. આગળનો ભેદ્દે શબ્દ અન્ય શબ્દની સાથે સંબંધવાળો હોવા છતાં પદ્મ, નવ, દ્વિ અને વિત્તિ શબ્દની સાથે જોડવો. તેથી ગાથાનો અર્થ આ પ્રમાણે થાય. પાંચ જ્ઞાનાવરણના ભેદો, નવ દર્શનાવરણના ભેદો, દામ્યાં યુા ગાવિંશતિ:-ચાવિતિઃ (એમ મધ્યમપદલોપી સમાસ
પ્રશમરતિ ૦ ૩૨