________________
િિમત્યાદ-પ્રાખોતિ-નમતે, યાન્ ાંશ્ચિત્ અનર્થ-અપાયાનું, : ?, न બ્રિટ્યિર્થ । તાનનાનુદ્દે_પિ-મળતુપિ, બાસ્તાં પરિહતુંમ્, શત્ત્ત:સમર્થો, મવતીતિ શેષ: ફચાર્યાર્થઃ ॥ ૨૪ ॥
કષાયની વક્તવ્યતાને પામેલો પ્રાણી જે અનર્થોને પામે છે તે અનર્થોને કહેવામાં અશક્તિને કહે છે–
ગાથાર્થ– અતિશય કષ્ટથી જીતી શકાય તેવા ક્રોધ-માન-માયા-લોભથી વશ કરાયેલ જીવ જે અનર્થોને પામે છે તે અનર્થોને કહેવા માટે પણ કોણ સમર્થ થાય છે ? અર્થાત્ કોઇ સમર્થ થતો નથી.
(માત્ર નામ લઇને પણ અનર્થોને જણાવવાનું અશક્ય છે તો પછી વિસ્તારથી વર્ણન કરવાનું તો સુતરાં અશક્ય છે.) (૨૪)
तानेव लेशत आह
क्रोधात् प्रीतिविनाशं, मानाद्विनयोपघातमाप्नोति । शाठ्यात् प्रत्ययहानिं सर्वगुणविनाशनं लोभात् ॥ २५ ॥ आप्नोतीति क्रियापदं चतुर्ष्वपि पदेषु योज्यम् । शेषं सुगममिति ॥ २५ ॥ અનર્થોને જ સંક્ષેપથી કહે છે–
.
ગાથાર્થ ક્રોધથી પ્રીતિના વિનાશને પામે છે, માનથી વિનયના નાશને પામે છે, માયાથી વિશ્વાસની હાનિને પામે છે, લોભથી સર્વગુણોના વિનાશને પામે છે.
(ક્રોધથી આ લોકમાં જ અતિશય પ્રિય માણસોની સાથે પણ પ્રેમનો વિચ્છેદ થાય છે. પ્રેમનો વિચ્છેદ થતાં આત્માને શાંતિ થતી નથી. ધર્મનું મૂળ વિનય છે. આથી દેવ-ગુરુ-સાધુ-વૃદ્ધજનો વગેરેનો વિનય કરવો જોઇએ. પણ માની જીવ વિનય કરી શકતો નથી. લોક વ્યવહારથી કોઇની ઉપર લોકોને આ સત્યવાદી છે ઇત્યાદિ વિશ્વાસ હોય. પણ પછી જયારે તે માયાને વશ બનીને અસત્ય બોલે છે ત્યારે એ વિશ્વાસ જતો રહે છે. લોભને વશ બનેલા જીવના ક્ષમા વગેરે સર્વ ગુણો નાશ પામે છે.) (૨૫)
પ્રશમરતિ • ૨૩