________________
अथ प्रत्येकमार्याचतुष्टयेन कषायदोषानाहક્રોધ: પરિતાપન, સર્વોનારતોષઃ । વૈરાનુષડ્રગન, ોધ ોષઃ સુપતિહના ॥ ૨૬ ॥ श्रुतशीलविनयसन्दूषणस्य धर्मार्थकामविघ्नस्य । માનસ્ય જોવાળ, મુહૂર્તમપિ પણ્ડિતો દ્યાત્ ? ॥ ૨૭ ॥ આર્યદયત્તિ સુમમ્ ॥ ૨૬ ॥ ૨૭ ॥
હવે ચાર આર્યાઓથી પ્રત્યેક આર્યા દ્વારા કષાયોના દોષને કહે છે– ગાથાર્થ– ક્રોધ પરિતાપ કરે છે, ક્રોધ બધાને ઉદ્વેગ કરે છે, ક્રોધ વૈરની પરંપરાને ઉત્પન્ન કરે છે, ક્રોધ સુગતિને હણે છે. (૨૬)
ગાથાર્થ— શ્રુત, શીલ અને વિનયને અત્યંત દૂષિત કરી નાખનાર તથા ધર્મ, અર્થ અને કામમાં વિઘ્ન ક૨ના૨ માનને કયો પંડિત એક મુહૂર્ત પણ અવકાશ આપે ?
'
[શ્રુત એટલે શાસ્ત્ર. શાસ્ત્રોને ભણેલો જીવ અભિમાની હોય તો લોકો કહે કે આ શ્રુતવાન હોવા છતાં અભિમાની છે. શ્રુતથી (=શાસ્ત્ર ભણીને) તો માનનો ત્યાગ કરવો જોઇએ. એના બદલે આ તો શ્રુતથી જ છકી જઇને અભિમાની થયો છે.
પ્રશ્નઃ આ પ્રમાણે માન શ્રુતવાનને દૂષિત કરે છે, શ્રુતને નહિ.
ઉત્તરઃ શ્રુતનું કાર્ય ન કરવાથી શ્વેત પણ દૂષિત થાય છે. જ્ઞાન મદનો નાશ કરે. જ્ઞાને એના મદનો નાશ ન કર્યો એમ શ્રુત જ દૂષિત થાય છે. અથવા જ્ઞાન અને જ્ઞાનીનો અભેદ છે. આથી જ્ઞાની દૂષિત બને એટલે તેનું જ્ઞાન પણ દૂષિત બને.
જ્ઞાન અને અભિમાન એ કેમ બને ? જ્ઞાન તો અભિમાનના ઝેરને નિચોવી નાખનાર પરમ મંત્ર છે. આથી જ્ઞાન હોવા છતાં અભિમાન ન ઓગળે તો જ્ઞાનને લાંછન ન લાગે ?
શીલ એટલે આગમાનુસાર ક્રિયા. એક તરફ આગમાનુસાર ક્રિયાઓ થાય અને બીજી તરફ અભિમાનનો પારો ઊંચે ચડે તો શું એ ક્રિયાઓની વગોવણી ન થાય ?
પ્રશમરતિ • ૨૪