________________
શકાય, તેમાંથી નવી સોયો બનાવવાની મહેનત કરવી પડે, તેમ નિકાચિત કર્મો પોતાનું અત્યંત ઘણું ફળ આપીને જ છૂટાં થાય. આવાં કર્મો બાહ્ય તપથી પણ ન ખપે. અત્યંત રાચીમાચીને રસપૂર્વક આનંદ-ઉત્સાહથી કરેલાં પાપોથી આવો બંધ થાય.
પ્રથમના ત્રણ પ્રકારના બંધના ફળમાં શુભાશુભ અધ્યવસાયથી રસસ્થિતિ-પ્રદેશ વગેરેની હાનિ-વૃદ્ધિથી ફેરફાર થઈ શકે. પણ નિકાચિત બંધમાં કોઈ જાતનું પરિવર્તન ન થાય. જેવી રીતે બાંધ્યું હોય તેવી જ રીતે ભોગવવું જ પડે.
અનેક પ્રકારના પરિવર્તનોથી ભટકેલો– એકેન્દ્રિયમાંથી બેઇન્દ્રિય બને, બેઇન્દ્રિયમાંથી તે ઇન્દ્રિય બને, નારક મરીને મનુષ્ય બને, મનુષ્ય મરીને તિર્યંચ બને. આમ અનેક પ્રકારના પરિવર્તનો થાય છે અને એથી ચાર ગતિમાં અનંતવાર ભટકેલો છે અને હમણાં ભટકી રહ્યો છે.
(૧૦) વિષયસુખોમાં આસક્ત, (૧૧) વિષયસુખોની અતિશયતૃષ્ણાવાળો
અહીં બીજાઓ અનુતિતૃષ: પદનો “જેણે અભિલાષા કરી છે તેવો જીવ' એવો અર્થ કહે છે. આથી “વિષયસુરટ્ટાનુ તૃષ:' પદનો “જેણે વિષયસુખોની અભિલાષા કરી છે તેવો જીવ' એવો અર્થ થાય.
કષાયોની વક્તવ્યતાને પામે છે– આ જીવ ક્રોધાદિવાળો છે એમ કહેવાય છે, અર્થાત્ આ જીવ ક્રોધી છે, માની છે, માયાવી છે અને લોભી છે એમ કહેવાય છે. (૨૦ થી ૨૩).
પીઠબંધ અધિકાર પૂર્ણ થયો.
(૨) કષાય અધિકાર स कषायवक्तव्यतानुगतः प्राणी यानपायान् प्राप्नोति तद्भणनेऽशक्तिमाहस क्रोधमानमायालोभैरतिदुर्जयैः परामृष्टः । प्राप्नोति याननर्थान्, कस्तानुद्देष्टुमपि शक्तः ? ॥ २४ ॥ स जीवः क्रोधादिभिरतिदुर्जयैः-कष्टेनाभिभवनीयैः परामृष्टो-वशीकृतः ।
પ્રશમરતિ ૨૨