Book Title: Mandir
Author(s): Ratnabodhivijay
Publisher: Ramjibhai Veljibhai Gala

View full book text
Previous | Next

Page 16
________________ જો આચાર્યમહારાજ આલોચના કરનાર શિષ્યને બરાબર સમજાવીને, મધુર હિતવચનો કહીને પ્રેરણા કરે તો શિષ્યના જીવનમાંથી તે દોષ નીકળી જાય અને ફરી તે તેના જીવનમાં ન પેસે. આમ શિષ્યનું જીવન દોષમુક્ત બને, સુવિશુદ્ધ બને અને ગુણોથી સમૃદ્ધ બને. તેમાં નિમિત્ત બનવાથી ગુરુને પણ લાભ થાય. ટૂંકમાં, ગુરુની અનાવડતને લીધે આલોચના કરનાર શિષ્યની વિશુદ્ધિ ન થાય. ગુરુની આવડતથી આલોચના કરનાર શિષ્યની પરિપૂર્ણ વિશુદ્ધિ થાય. માટે ગુરુના માથે મોટી જવાબદારી છે. જો તે તેને બરાબર નીભાવે તો તેમને અને શિષ્યોને બન્નેને લાભ થાય. જો તે તેને બરાબર ન નીભાવે તો તેમને અને શિષ્યોને બન્નેને નુકસાન થાય. * * * * * ગોશાળાત્તિ ગોશાળાએ પ્રભુવીરની ભક્તિ તો કરી ન હતી, ઊલટું તેના લીધે ભગવાનને ઘણીવાર હેરાન થવું પડ્યું હતું. ગોશાળા પર જ્યારે જ્યારે તકલીફ આવતી ત્યારે ત્યારે તે તેમાંથી બચવા માટે પ્રભુનો આશરો લેતો. આપણામાં આવી ગોશાળાવૃત્તિ તો નથી ને ? આપણે દેવગુરુની ભક્તિ તો કરતા નથી, ઊલટું તેમના આશાતના અને અવિનય કરીએ છીએ. જ્યારે જ્યારે આપણી ઉપર તકલીફ આવે છે ત્યારે ત્યારે તેને દૂર કરવા આપણે દેવ-ગુરુનો આશરો લઈએ છીએ. આ પણ ગોશાળાવૃત્તિ જ છે ને ? તો પછી આપણામાં અને ગોશાળામાં ફરક શું ? ફરક એટલો કે એ ગોશાળાને દુનિયા ગોશાળા તરીકે ઓળખે છે. જ્યારે આપણને દુનિયા ધર્માત્મા તરીકે ઓળખે છે. આપણી અંદર રહેલા ગોશાળાને દુનિયા ઓળખતી નથી. ગોશાળાવૃત્તિ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114