Book Title: Mandir
Author(s): Ratnabodhivijay
Publisher: Ramjibhai Veljibhai Gala

View full book text
Previous | Next

Page 87
________________ (6) છતાં જમાઈ આગળ ચાલી માંડવામાં આવે છે. ચારે બાજુ ચાર ચોરી હોય છે. તે સૂચિત કરે છે કે, “ચાર કષાયોના માંડવામાં તમારે બંધાયેલા રહેવાનું છે.” (7) ચોરીના માટલા ઉપર નાના અને નીચે પહોળા હોય છે. તે સૂચિત કરે છે કે, “હવે લગ્ન પછી દિવસે દિવસે તમારો પરિવાર અને આધિ, વ્યાધિ, ઉપાધિ વધ્યા કરશે.” હસ્તમેળાપ વખતે વરના હાથમાં કન્યાનો હાથ રખાય છે. તેનાથી સૂચિત થાય છે કે, “કુસ્તી કરતા પહેલા બે મલો હાથ મિલાવે છે અને પછી કુસ્તી કરે છે. તેમ તમે અને આ કન્યા આજે હાથ મિલાવો છો, હવે જીવનભર તમારે કુસ્તી કરવાની છે,' (9) લગ્નવેળાએ અગ્નિની ચારે તરફ ચાર ફેરા ફરવામાં આવે છે. તે સૂચવે છે કે, “હવે તમારે ચાર ગતિના ફેરા ફરવાના છે.' (10) ત્રણ ફેરામાં વર આગળ અને કન્યા પાછળ હોય છે, પણ ચોથા ફેરામાં કન્યા આગળ અને વર પાછળ હોય છે. તે સૂચવે છે કે, આખરે તો તમારા ઘરમાં પત્નીનું જ રાજ ચાલવાનું છે. તમારે તેની પાછળ પાછળ ચાલવું પડશે, તેનું કહ્યું કરવું પડશે. તમે કાયમ માટે પત્નીના ગુલામ બની જશો.” (11) ફેરા ફરાય છે તેમાં વચ્ચે અગ્નિ હોય છે. તે સૂચવે છે કે, “હવેથી તમારો સંસાર ભડકે બળશે. તમારા જીવનમાં ચિંતાઓ, ટેન્શનો, સંક્લેશો વગેરેની હોળી સળગશે.” (12) ગોરમહારાજ કહે છે, “કન્યા પધરાવો, સાવધાન.” તે સૂચવે છે કે, “આ છેલ્લી ચેતવણી છે. હજી સાવધાન થાવ. હજી ચેતી જાવ. હજી ભાગી છૂટો. તો સુખી થશો. નહીંતર કાયમ માટે દુઃખી થશો.” આટઆટલી સૂચનાઓ મળવા છતાં માણસ તેને અવગણીને હોંશે હોંશે લગ્ન કરે છે અને પછી જીવનભર પસ્તાય છે. આ સૂચનાઓથી જે ચેતી જાય છે તે બચી જાય છે. માટે હજી જેમના લગ્ન ન થયા હોય, જેમને ..78.. લગ્નવિધિના રહસ્યો

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114