________________ સંકોચમાં પેન્ટ ઢીલું થઈ જાય. પેન્ટને બરાબર ટકાવવા પટ્ટાનો ઉપયોગ કરવો પડે. કોઈએ સ્વામીજીને પૂછ્યું, “જો તમે પશ્ચિમી સંસ્કૃતિનો આટલો વિરોધ કરો છો તો પશ્ચિમી સંસ્કૃતિનાં બૂટ કેમ પહેરો છો ?' સ્વામીજીએ જવાબ આપ્યો. “પશ્ચિમી સંસ્કૃતિનું સ્થાન અમારા જીવનમાં પગના તળીયે છે એ બતાવવા હું બૂટ પહેરું છું.” આમ પૂર્વની સંસ્કૃતિ ખૂબ જ ગૌરવવંતી છે. અને પશ્ચિમી સંસ્કૃતિ કસ વગરની છે. માટે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ ન કરવું. * * * * * કોણ છે આ હરામજાદી ? ઓરંગઝેબની શાહજાદી એક વાર દરબારમાં આવી. તેણીએ ઢાકાની મલમલના સાત પડ શરીર પર વીંટ્યા હતા. તેથી તેના અંગો દેખાતા ન હતા, માત્ર અંગોનો આકાર ઉપસી આવતો હતો. તેણીને જોઈને ઓરંગઝેબ લાલચોળ થઈને બોલ્યો, “કોણ છે આ હરામજાદી ? એને બહાર કાઢો.” " એક મુસલમાન બાદશાહ પણ ઈચ્છતો હતો કે સ્ત્રીઓએ મર્યાદાસભર વસ્ત્રો પહેરવા જોઈએ અને તેવી શિસ્તનું તે પાલન કરાવતો હતો. આ દૃષ્ટાંત પરથી બોધ લઈને વર્તમાનકાળની નારીજાતિએ મર્યાદાસભર વસ્ત્રો પહેરવા જોઈએ. ઘર, સમાજ, સંઘ, રાજ્ય, દેશ વગેરેના આગેવાનોએ કડક નિયમો ઘડીને આ શિસ્તનું પાલન કરાવવું જોઈએ. તો જ આ દેશનું આર્યપણું ટકશે. નહીંતર આ દેશને અનાર્ય બનતા વાર નહીં લાગે. કોણ છે આ હરામજાદી ? ...95..