Book Title: Mandir
Author(s): Ratnabodhivijay
Publisher: Ramjibhai Veljibhai Gala

View full book text
Previous | Next

Page 112
________________ આપણે આરાધનાઓનું વર્ગીકરણ કરી નાંખીએ તો આ ગૂંચવણો ઉકેલાઈ જાય. આરાધનાઓનું વર્ગીકરણ એટલે કયા સમયે કઈ આરાધના કરવી એવું વિભાગીકરણ કરવું. આ રીતે વર્ગીકરણ થઈ જશે એટલે મૂંઝવણો દૂર થશે અને પ્રસન્નતાપૂર્વક આરાધના થશે. પચ્ચખાણના બે વિષય એક સાધુએ આયંબિલનું પચ્ચક્માણ કર્યું. તેણે એક ઘરમાંથી ભાત વહોર્યા. બીજા ઘરમાંથી તેણે દૂધ વહોર્યું. ગુરુને બતાવીને તે વાપરવા લાગ્યો. ગુરુએ તેને કહ્યું, “તારે તો આજે આયંબિલ છે.' સાધુ બોલ્યો, “હા'. ગુરુએ પૂછ્યું, “તો પછી આજે દૂધ કેમ વાપરે છે ?' સાધુ બોલ્યો, “મારે આજે આયંબિલ છે એટલે જ દૂધ વાપરું છું. હિંસાનું પચ્ચખ્ખાણ એટલે હિંસા ન કરવી. તેમ આયંબિલનું પચ્ચક્માણ એટલે આયંબિલ ન કરવું, વિગઈઓ વાપરવી, તેથી દૂધ વાપરું છું.” ગુરુએ તેને સમજાવ્યો, “પચ્ચક્કાણના બે વિષય છે - પ્રવૃત્તિ અને નિવૃત્તિ. હિંસાનું પચ્ચક્માણ નિવૃત્તિવિષયક છે. તેથી તેનો અર્થ “હિંસા ન કરવી” એવો થાય. આયંબિલનું પચ્ચક્કાણ પ્રવૃત્તિવિષયક છે. તેથી તેનો અર્થ “આંબિલ કરવું એટલે કે “વિગઈઓ ન વાપરવી” એવો થાય.' સાધુ સમજી ગયો. તેણે ગુરુની ક્ષમા માંગી. ભાતનું પચ્ચખ્ખાણ' આના બે અર્થ થાય - (1) ભાત ન વાપરવા, તે સિવાયની વસ્તુ વાપરવી. (2) ભાત જ વાપરવો, તે સિવાયની વસ્તુઓ ન વાપરવી. આપણી જે ભાવના હોય તે પ્રમાણેનો અર્થ મનમાં રાખી પચ્ચક્માણ લેવું અને તે યથાર્થ રીતે પાળવું. બીજાના પચ્ચખ્ખાણની બાબતમાં તેને પૂછીને કે બીજી કોઈ રીતે યોગ્ય અર્થનો નિર્ણય કરવો. પચ્ચશ્માણના બે વિષય ...103...

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114