________________ Reservation, RAC, Cancellation (1) સંસારી માણસને બહારગામ જવાનું થાય ત્યારે તે રિઝર્વેશનવાળી ટિકિટ લે છે, જેથી તેનું જવાનું પાકું થઈ જાય. (2) કદાચ રિઝર્વેશનવાળી ટિકિટ ન મળે તો તે RAC ની ટિકિટ લે છે. તેમાં તેનું જવાનું તાત્કાલિક નક્કી થતું નથી, પણ કોઈની ટિકિટ કેન્સલ થઈ જાય તો તેની ટિકિટ confirm થઈ જાય. પછી તેનું જવાનું પાકું થાય. (3) કોઈ કારણસર બહારગામ જવાનું બંધ રહે તો છેવટે તે ટિકિટ કેન્સલ કરાવે છે. આમ માણસ રિઝર્વેશનને પહેલા નંબરે રાખે છે. RAC ને બીજા નંબરે રાખે છે અને cancellation ને છેલ્લો નંબર આપે છે. આ થઈ ટિકિટની વાત. ધર્મની બાબતમાં માણસનું વલણ આનાથી તદ્દન વિપરીત હોય છે. (1) કોઈ ધર્મ કરવાની તેને લાલસા થાય એટલે તરત પ્રતિસ્પર્ધી ખરાબ વિચારો આવીને તેની ભાવનાઓ તોડી નાંખે અને તે ધર્મ કરવાનું cancel se. (2) ધર્મ કરવાની પોતાની ભાવના પડી ગઈ હોવા છતાં કોઈ ગુરુભગવંત કે કલ્યાણમિત્ર પ્રેરણા કરે ત્યારે તે ધર્મ કરવા રાજી થાય ખરો પણ હજી સો ટકા ધર્મ કરવો જ છે એવો મક્કમ નિર્ધાર એના મનમાં ન હોય. “જોઈશું.” “થશે તો કરશું.” જેવી માયકાંગલી વાતો તે કરે. એટલે હજી તેનું ધર્મ કરવાનું RAC ની અવસ્થામાં હોય છે, confirm થયું હોતું નથી. (3) બીજાની વારંવારની પ્રેરણા અને પોતાની વારંવારની ભાવના-આ બન્નેથી છેવટે તેનું ધર્મ કરવાનું confirm થાય છે. એટલે કે ધર્મ કરવાનું તેનું reservation થઈ જાય છે. સંસારના ક્ષેત્રે મોટા ભાગે માણસને રિઝર્વેશનવાળી ટિકિટ જ મળે Reservation, RAC, Cancellation .87...