Book Title: Mandir
Author(s): Ratnabodhivijay
Publisher: Ramjibhai Veljibhai Gala

View full book text
Previous | Next

Page 99
________________ રાજાએ તેને અડધું રાજ્ય આપવાની વાત કરી. છતાં કરસન એક નો બે ન થયો. સ્વજનોએ કરસનને ખૂબ સમજાવ્યો. પણ તે અચળ રહ્યો. છેવટે લોકોએ કહ્યું, “કરસન ! આવો વીર ફરી તને નહીં મળે.” કરસન બોલ્યો, “આવા વીરો તો ઘણા મળશે, પણ મારા જેવો ભડવીર નહીં મળે.' કરસનની ખુમારી અદ્વિતીય હતી. દાદાની છડી તે વિના મૂલ્ય ભક્તિથી પોકારતો હતો. રાજાની છડી ધન લઈ પોકારવા પણ તે તૈયાર ન હતો. ભક્તિ ભાવથી થાય છે, વેચાતી નથી. કરસન ન માન્યો તે ન જ માન્યો. રાજાની મનની મનમાં રહી ગઈ. કરસન જેવી ખુમારી આપણામાં પણ હોવી જોઈ. સંસારના થોડા, તુચ્છ સ્વાર્થ ખાતર આપણે આપણી ધાર્મિકતા, પવિત્રતા, ગુણો, ભક્તિ વગેરે વેચી નથી નાંખવાના. ગમે તેવી લોભામણી ઓફરો આવે તો ય આપણે આપણી ધાર્મિકતા ટકાવી રાખવાની છે. કરસન ભલે નાનો માણસ હતો, પણ તેની ખુમારી ઘણી મોટી હતી. આપણે પણ એ નાના માણસનો મોટો ગુણ અપનાવીએ અને ખુમારીવાળા બનીએ. * * * * * ચાત્રિ શા માટે લેવાનું ? ચારિત્રની ભાવનાવાળાને લોકો કહે છે, “ઘરમાં રહીને પણ ધર્મ થઈ શકે છે. તો પછી શા માટે ચારિત્ર લેવું જોઈએ ? તેમને મુમુક્ષુ જવાબ આપે છે, “ચારિત્રમાં બિલકુલ પાપ કરવું પડતું નથી, માટે ચારિત્ર લેવું છે.” ...90... ચારિત્ર શા માટે લેવાનું ?

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114