Book Title: Mandir
Author(s): Ratnabodhivijay
Publisher: Ramjibhai Veljibhai Gala

View full book text
Previous | Next

Page 94
________________ એક લક્ઝરથી 95 % માર્ક એક યુવાન કોલેજમાં ભણતો હતો. તે લેક્ટરોમાં બેસતો ન હતો. આખા વરસમાં તેણે માત્ર એક જ લેક્ટર એટેંડ કરેલું. પરીક્ષા આવી. તેણે પરીક્ષા આપી. પરિણામ આવ્યું. તેને 95 % માર્ક મળેલા. તેના મિત્રને ખબર પડી. તેને આશ્ચર્ય થયું. તેણે તેને પૂછ્યું, “તેં તો માત્ર એક જ લેક્ટર એટેંડ કર્યું હતું. છતાં તને 95 % માર્ક મળ્યા. આ કેવી રીતે ?' યુવાન બોલ્યો, “એક લેક્ટર એટંગ કર્યું એટલે જ 95 % માર્ક મળ્યા.” મિત્રને સમજણ ન પડી. એટલે તેણે ફરી પૂછ્યું, પણ કેવી રીતે ?' યુવાન બોલ્યો, “જો એકેય લેક્યર એટેંડ ન કર્યું હોત તો 100 % માર્ક મળત. આ તો એક લેક્ટર એટેંડ કર્યું એટલે પ % માર્ક કપાઈ ગયા.' તેનો કહેવાનો આશય એવો હતો કે એક પણ લેક્યર એટેંડ કર્યા વિના તે જો માત્ર તેની બુદ્ધિના આધારે ભણ્યો હોત તો તેને ચોક્કસ સો ટકા માર્ક મળત. તેણે એક લેક્ટર એટેંડ કર્યું તેનાથી તેની બુદ્ધિ વધી નહીં પણ કુંઠિત થઈ ગઈ. તેથી તેને 95 % માર્ક મળ્યા. આ પ્રસંગનો સાર બે રીતે નીકળે છે - (1) સ્કૂલ-કોલેજોમાં અપાતા શિક્ષણનો ઉપહાસ થાય છે. ભણવાની સામગ્રી વધી પણ જ્ઞાન ઘટ્યું. શિક્ષણ વધ્યું પણ જ્ઞાન ઘટ્યું. જેમ જેમ વિદ્યાર્થી ભૌતિકશિક્ષણ મેળવે છે તેમ તેમ તેનું જ્ઞાન નિર્મળ બનવાની બદલે મલિન બનતું જાય છે. શિક્ષણ વધવાની સાથે તેની બુદ્ધિનો વિકાસ થતો નથી પણ વિનાશ થાય છે. આમ ઉપરોક્ત પ્રસંગ ભૌતિક શિક્ષણ ઉપર એક વ્યંગ્ય કટાક્ષ કરે છે. (2) કોલેજ = સંસાર લેક્ટર = સંસારના કાર્યો માર્ક = કર્મનિર્જરા વિદ્યાર્થી = સંસારી જીવ એક લેકચરથી 95% માર્ક .85...

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114