Book Title: Mandir
Author(s): Ratnabodhivijay
Publisher: Ramjibhai Veljibhai Gala

View full book text
Previous | Next

Page 51
________________ એક લાખ શ્લોક પ્રમાણ સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય રચવાનો અભિગ્રહ લીધો. કાંતિલાલે જીવનભર 5 દ્રવ્ય (રોટલી, શાક, દાળ, ભાત અને દૂધ) થી વધુ નહીં વાપરવાનો અભિગ્રહ લીધો. સંસારી અવસ્થામાં પણ તેમને રોજના 6 દ્રવ્યથી વધુ નહીં વાપરવાનો અભિગ્રહ હતો. સંસારી અવસ્થામાં પણ તેમની સાધના સુંદર હતી. સ્કૂલમાં રીસેસ પડે ત્યારે તેઓ ઉપાશ્રયમાં આવી સામાયિક કરતા. * સમતાનું મૂળ : તેમણે સંસારી અવસ્થામાં અધ્યાત્મકલ્પદ્રુમના સમતાધિકારનો સેંકડો વાર પાઠ કર્યો હતો. તેમણે શાંતસુધારસનો સોથી વધુ વાર પાઠ કર્યો હતો. * નિઃસ્પૃહતા : તેમની વડી દીક્ષા મુંબઈમાં લાલબાગમાં વૈ.સ. 6 ના દિવસે થઈ. ત્યારે ગુરુદેવે કહ્યું કે, “મુ. ભદ્રગુમવિજયજી મ. ને તમારા શિષ્ય બનાવીએ.” નિઃસ્પૃહી મુ. ધર્મગુમવિજયજી મહારાજે કહ્યું, “મારે શિષ્યની જરૂર નથી. સંસારી અવસ્થામાં અમે બન્ને ભાઈ હતા તો સંયમજીવનમાં પણ ભલે અમે ગુરુભાઈ રહીએ.” આ પ્રસંગ જણાવે છે કે તેઓ શિષ્ય કરવાની બાબતમાં નિઃસ્પૃહ હતા. * સમતા : દીક્ષા લીધાના ચાર મહિના બાદ તેમને અચાનક માથાનો દુઃખાવો શરૂ થયો. ચોવીસ કલાક માથું દુઃખ્યા કરે. તેમના દીક્ષાવિરોધી કોઈક સંસારી સ્વજને કોઈ પ્રયોગ કરીને તેમને આ પીડા ઉપજાવી હોવાની સંભાવના છે. ઘણા ઉપચારો કર્યા પણ દુઃખાવો મટ્યો નહીં. ચાર વર્ષ સુધી તો તેમને દિવસે કે રાતે જરાય ઊંઘ આવી નહીં. દાદર (મુંબઈ)માં ડોક્ટરે સેફેક્સ નામની ઊંઘની પા ગોળી લેવાનું કહ્યું. તેનાથી ઊંઘ આવી જતી. પણ ધીમે ધીમે ગોળીનું પ્રમાણ વધતું ગયું. સાથે સાથે ગોળી લેવાની આડઅસર એ થઈ કે તેમના જ્ઞાનતંતુઓ નબળા પડતા ગયા. ...૪ર... પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114