Book Title: Mandir
Author(s): Ratnabodhivijay
Publisher: Ramjibhai Veljibhai Gala

View full book text
Previous | Next

Page 74
________________ કાઢવાનો વારો આવે. ભાડા પ્રત્યેનું વલણ જો માણસ ભોજન પ્રત્યે રાખે તો તેની ભોજન પ્રત્યેની આસક્તિ ઘણી ઓછી થઈ જાય. આમ ભોજનની લાલસા ઘટાડવાના અને તપ-ત્યાગની ભાવના વધારવાના ઘણા ઉપાયો અહીં બતાવ્યા છે. આ ઉપાયો દ્વારા ભોજનની લાલસા ઘટાડીએ અને તપ-ત્યાગમાં ઉદ્યમશીલ બનીએ. * * * * * નેગેટિવ પોલ વીજળી પોઝિટિવ પોલથી નેગેટિવ પોલ તરફ વહે છે. જો બન્ને પોલ પોઝિટિવ હોય તો વીજળી વહે નહીં, પણ ભડકો થાય. પ્રભુ પોઝિટિવ પોલ છે, કેમકે અનંતગુણના ભંડાર છે. જો આપણે પ્રભુ પાસે નેગેટિવ થઈને જઈએ, એટલે કે હું દોષોથી ભરેલો છું.” એવા ભાવથી જઈએ તો પ્રભુની કૃપા આપણી ઉપર વહે. જો આપણે પ્રભુ પાસે પોઝિટિવ પોલ બનીને જઈએ, એટલે કે હું વિદ્વાન છું, હું તપસ્વી છું, હું અનેક ગુણોનો સ્વામી છું.” એમ માનીને જઈએ તો પ્રભુની કૃપા આપણી ઉપર ન વહે અને પ્રભુની આશાતના રૂપી ભડકો થવાથી આપણે દુર્ગતિમાં પડી જઈએ. ટૂંકમાં, પ્રભુકૃપા જોઈતી હોય તો પ્રભુ પાસે નેગેટિવ બનીને જવું, પોઝિટિવ બનીને નહીં. પ્રભુ પાસે પોતે દોષવાન હોવાની લાગણીપૂર્વક જવું, પોતે ગુણવાન હોવાની લાગણીપૂર્વક નહીં. સુણો શાંતિ નિણંદ સોભાગી..” શાંતિનાથ પ્રભુના આ સ્તવનમાં પ્રભુની પોઝિટિવિટિ બતાવી છે અને આપણી નેગેટિવિટિ બતાવી છે. નેગેટિવ પોલ *.65...

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114