________________ ગોળી છોડી દઉં. જ્યારે ભોજન કરતી વખતે, “ભોજન ન છૂટકે લેવું પડે છે. ભોજન કરવાની આ લપથી ઝટ છૂટું.” એવી કોઈ ભાવના માણસના મનમાં હોતી નથી. ઊલટું, ખાવું એ તેનો સ્વભાવ છે અને જીવનભર તેણે ખાવાનું ચાલુ જ રાખવાનું છે - એવું જ માણસ માને છે. (૧૫)ગોળીની બાબતમાં “આ મારી favourite ગોળી છે, આ ગોળી મને દીઠી ય ગમતી નથી.' - આવી choice માણસને નથી હોતી. જે પણ ગોળી લેવાની હોય તેને તે choice વિના લઈ લે છે. જ્યારે ભોજનની બાબતમાં “આ મારી મનગમતી વાનગી છે. આ શાક મને ભાવતું નથી.' - એવી choice માણસ રાખે છે. અને મનગમતી વાનગીઓ ખાય છે અને અણગમતી વાનગીઓને તિરસ્કારે છે. ઉપરના પંદરે મુદ્દાથી નક્કી થાય છે કે ભોજન એ દવા છે એવું માણસ હજી સમજ્યો જ નથી. ભોજનની બાબતનું વલણ જો માણસ ગોળીની બાબતમાં લગાવી દે તો માણસનું શરીર ક્યારેય સ્વસ્થ ન રહે. ગોળીની બાબતનું વલણ જો માણસ ભોજનની બાબતમાં લગાવી દે તો માણસનું શરીર, મન અને આત્મા ત્રણે હંમેશા સ્વસ્થ રહે. હવેથી ભોજનને દવા સમજીને દવા પ્રત્યેનું વલણ ભોજન પ્રત્યે પણ રાખવા પ્રયત્ન કરવો. દવાખાનામાં માણસ વધુ સમય બેસતો નથી. તેમ રસોડામાં કે ભોજનશાળામાં વધુ સમય ન બેસવું, ઓછા સમયમાં ભોજન કરીને બહાર નીકળી જવું. દવાખાનામાં દર્દી ડોક્ટરની સલાહ માને છે, તેની સાથે તકરાર કે ઝઘડો કરતો નથી. તેમ રસોડામાં રસોઈ બનાવનાર પત્ની કે ભોજનશાળામાં રસોઈ બનાવનાર મહારાજ જે ભોજન પીરસે તે ખાઈ લેવું, પત્ની કે મહારાજ સાથે ભોજનની બાબતમાં તકરાર કે ઝઘડો ન કરવો. ભોજન = દવા, ભાડું 63...