Book Title: Mandir
Author(s): Ratnabodhivijay
Publisher: Ramjibhai Veljibhai Gala

View full book text
Previous | Next

Page 70
________________ ભોજન = દવા, ભાડું માણસને અસતાવેદનીય કર્મના ઉદયથી માથું દુઃખે છે. માથું દુઃખવું એ રોગ છે. તેને દૂર કરવા તે દવા લે છે. સુધાવેદનીય કર્મના ઉદયથી ભૂખ લાગે છે. તેથી ભૂખ એ રોગ છે. તેને દૂર કરવા માણસ ભોજન લે છે. તે દવા છે. માથાના દુઃખાવાનો રોગ દૂર કરવા લેવાતી ગોળી પણ દવા છે અને ભૂખનો રોગ દૂર કરવા લેવાતું ભોજન પણ દવા છે. છતાં ગોળી પ્રત્યેનું માણસનું વલણ જુદું હોય છે અને ભોજન પ્રત્યેનું માણસનું વલણ જુદું હોય છે. તે કઈ રીતે તે આપણે વિચારીએ - (1) ડોક્ટર એક ટાઈમ ગોળી લેવાનું કહે તો માણસ ર કે 3 ટાઈમ ગોળી લેતો નથી. જ્યારે એક ટાઈમ ભોજન કરવાથી ભૂખ શાંત થઈ જવા છતાં માણસ 2, 3 કે વધુ ટાઈમ ભોજન કરે છે. (2) ડોક્ટર એક ગોળી લેવાનું કહે તો માણસ 1 થી વધુ ગોળી લેતો નથી. જ્યારે ઓછા દ્રવ્યોથી ભૂખ શાંત થઈ જતી હોવા છતાં માણસ વધુ ને વધુ દ્રવ્યો ખાય છે. (3) ડોક્ટરે નાની ગોળી લેવાનું કહ્યું હોય તો માણસ મોટી ગોળી લેતો નથી. જ્યારે ઓછા ભોજનથી ભૂખ શાંત થઈ જતી હોવા છતાં માણસ વધુ ભોજન કરે છે. (4) ડોક્ટરે સફેદ રંગની ગોળી લેવાનું કહ્યું હોય તો માણસ રંગબેરંગી ગોળી લેતો નથી. જ્યારે સાદા ભોજનથી ભૂખ શાંત થઈ જતી હોવા છતાં માણસ વિવિધ રંગના અને વિવિધ ફ્લેવરના ભોજન કરે છે. (5) ડોક્ટરે ટેસ્ટલેસ કે કડવી ગોળી લેવાનું કહ્યું હોય તો માણસ તેની બદલે સુગરકોટેડ દવા લેતો નથી. જ્યારે નીરસ ભોજનથી ભૂખ શાંત થઈ શકતી હોવા છતાં માણસ ટેસ્ટી અને ચટાકેદાર ભોજન કરે છે. (6) ડોક્ટરે ગોળી પાણી સાથે લેવાનું કહ્યું હોય તો માણસ તેને દૂધ સાથે લેતો નથી. જ્યારે રોટલી ઊતારવા શાકથી ચાલતું હોય અને ભોજન = દવા, ભાડું 61...

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114