________________ શરૂઆતમાં તેમને વોટરબેડ પર સુવડાવતા. બન્ને શિષ્યોએ 10 વર્ષ સુધી ગુરુની અપ્રમત્ત વૈયાવચ્ચ કરી. મુ. જિનવલભવિજયજી મહારાજે પહેલી વખતની 94 મી ઓળીથી બીજી વખતની 64 મી ઓળી સુધીની તપશ્ચર્યા કરવા સાથે ગુરુની વૈયાવચ્ચ કરી. તેઓ દિવસમાં દોઢ-દોઢ કલાકે તેમને વપરાવતા. તેમને વપરાવવામાં 4 કલાક નીકળી જતા. ગુરુદેવની દસ વર્ષની માંદગીમાં મુ. જિનવલ્લભવિજયજી મહારાજે એક નવકારવાળી ગણી નથી કે એક પાનું વાંચ્યું નથી. તેઓ કોઈ પણ પ્રસંગમાં જતા નહીં. તેમની માટે ગુરુદેવની સેવા એ જ સર્વસ્વ હતું. ગુરુદેવના શરીરના પાછળના ભાગમાં ચાઠું ન પડે તે માટે તેઓ તેમના શરીરને સ્પચ કરી એકદમ સ્વચ્છ રાખતા, તલના તેલનું માલીશ કરતા, નાઈસીલ પાવડર છાંટતા, રાતે દોઢ-દોઢ કલાકે પડખું બદલાવતા, દિવસે 6 થી 7 વાર તેમને ખુરસીમાં બેસાડતા-પાછા પથારીમાં સુવડાવતા. દસ વર્ષ સુધી પથારીવશ અવસ્થામાં રહેવા છતાં તેમના શરીરમાં એક ચાઠું પડ્યું ન હતું. શિષ્યોએ ગજબની વૈયાવચ્ચ કરી હતી. રાતે દોઢદોઢ કલાકના એલારામ મૂકી મુ. જિનવલ્લભ વિજયજી મ. જાગતા અને ગુરુદેવનું ધ્યાન રાખતા. ગુરુદેવને રાતે દોઢ વાગે, સાડા ચાર વાગે અને છ વાગે સ્પંડિત જવાનું થતું. બધુ પથારીમાં જ થતું. ગુરુદેવ સ્પંડિલ જાય કે તરત તેમનું શુદ્ધિકરણકપડાનું શુદ્ધિકરણ શિષ્યો તાત્કાલિક કરતા. જરાય ગંદગી રહેવા ન દેતા. રૂમનું વાતાવરણ પવિત્ર અને સુગંધી રાખતા કે જેથી ગુરુદેવના શરીરમાં કોઈ ઈન્વેક્શન ન લાગી જાય. શિષ્યો પ તિથિએ ગુરુદેવને ખુરસીમાં બેસાડીને દેરાસર દર્શન કરવા લઈ જતા. આટલી બીમારીમાં પણ મુ. ધર્મગુપ્તવિજયજી મ. ક્યારેય હતાશ થયા ન હતા. ...48... પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર