________________ સંકલ્પ કરે તેને સિદ્ધિ વરે એક વાર અમદાવાદમાં સાબરમતીમાં એક ઉપાશ્રયમાં પ.પૂ.ગચ્છાધિપતિશ્રી આચાર્ય વિજય જયઘોષસૂરીશ્વરજી મ. બિરાજમાન હતા. બીજા ઉપાશ્રયમાં પ.પૂ. પંન્યાસપ્રવરશ્રી વ્રજસેનવિજયજી મ. બિરાજમાન હતા. એક દિવસ અચાનક પ.વ્રજસેનવિજયજી મ. ની તબિયત બગડી ગઈ. તેમના શરીરમાંથી લોહી પડવાનું ચાલુ થઈ ગયું. ઘણા ઉપાયો કર્યા, છતાં લોહી પડવાનું બંધ ન થાય. ડોક્ટરોના ઉપાયો પણ નિષ્ફળ ગયા. તેમને હોસ્પિટલમાં એડ્મિટ કરવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. પણ તેમની તબીયત એટલી બધી નાજુક હતી કે તેમને તે અવસ્થામાં હોસ્પિટલમાં પણ લઈ જઈ શકાય એમ ન હતા. - થોડી વાર પછી અચાનક લોહી પડવાનું બંધ થઈ ગયું. સૌને આશ્ચર્ય થયું. પં. વજસેનવિજયજી મ. બોલ્યા, “ચાલો, આપણે પૂઆ. જયઘોષસૂરિ મને વંદન કરી આવીએ.” ત્યારે પૂ. હેમપ્રભસૂરિ મ. બોલ્યા, “સાહેબ ! હોસ્પિટલમાં જઈ શકાય એવી આપની સ્થિતિ નથી અને આપને પૂ. આ. જયઘોષસૂરિ મ. ને વંદન કરવા જવું છે ?' પં. વજસેનવિજયજી મ. બોલ્યા, “જ્યારે મારું લોહી પડવાનું અટતું ન હતું ત્યારે મેં સંકલ્પ કર્યો હતો કે જો આ લોહી પડવાનું બંધ થઈ જાય તો પૂ. આ. જયઘોષસૂરિ મ. ને વંદન કરવા જવું. લોહી પડવાનું બંધ થઈ ગયું. માટે સંકલ્પ પૂરો કરવા પૂજ્યશ્રીને વંદન કરવા જવાનું મેં કહ્યું. એમાં વિચાર શું કરવાનો ? ચાલો, આપણે વંદન કરવા જઈએ.” પં. વજસેનવિજયજી મ. ની વાત સાંભળીને પૂ. હેમપ્રભસૂરિ મ. ને પણ આશ્ચર્ય સાથે અહોભાવ થયો. તરત તેઓ તેમને પૂજ્યશ્રીના વંદનાર્થે લઈ ગયા. ત્યાં પૂજ્યશ્રીને વંદન કર્યા પછી સ્વયં પૂ.હેમપ્રભસૂરિ મહારાજે ..૩ર.. સંકલ્પ કરે તેને સિદ્ધિ વરે