________________ સમતા સમતા થોડા જીવો પાસે જ હોય છે. તે આ રીતે દ્ર બધા જીવો કામને જાણે છે. બધા જીવોમાંથી મનવાળા જીવો ધનને જાણે છે. મનવાળા જીવોમાં પણ કેટલાક મનુષ્યો ખેતી વગેરે વેપારને જાણે છે. મનુષ્યોમાં પણ ધર્મને જાણનારા થોડા છે. ધર્મને જાણનારામાં પણ જેનધર્મને જાણનારા થોડા છે. જૈનધર્મને જાણનારામાં પણ સમ્યક્તને પામનારા થોડા છે. સમ્યક્ત પામેલામાં પણ મોક્ષ માટે પ્રયત્ન કરનારા થોડા છે. મોક્ષ માટે પ્રયત્ન કરનારામાં પણ સમતા પામનારા થોડા છે, કેમકે જેનો મોક્ષ નજીકમાં હોય એ જ સમતા પામે છે. આમ સમતા બહુ થોડા જીવો પાસે હોય છે. સમતા દુર્લભ છે. સમતા મહત્ત્વની પણ છે. માટે આપણે પણ સમતા પામવા માટે પ્રયત્ન કરીએ. સમતા પામીને આપણા મોક્ષને આપણે નજીક કરીએ. * * * * * શરીર કેદખાનું છે જ્યાં ગંદગી, ભૂખ, તરસ, પરાધીનતા વગેરે ઘણા દુઃખો છે એવા કેદખાનામાંથી મૂર્ખ માણસ પણ ખાતર પાડીને નીકળવા ઈચ્છે છે. શરીર એ તો દુનિયાના કેદખાના કરતા વધુ ભયંકર કેદખાનું છે. જીવને એના કર્મો આ કેદખાનામાં નાંખે છે. છતાં જીવ શરીરરૂપી કેદખાનામાંથી નીકળવાના પ્રયત્નો કરવાની બદલે ભોજન અને ટાપટીપ વડે એને દઢ કરવાના પ્રયત્નો કરે છે. કેવી વિચિત્રતા ! ...22... સમતા; શરીર કેદખાનું છે