Book Title: Mandir
Author(s): Ratnabodhivijay
Publisher: Ramjibhai Veljibhai Gala

View full book text
Previous | Next

Page 34
________________ ન પડ્યો હોત તો સારું થાત.' હવે તેની માટે પસ્તાવા સિવાય અને દુઃખોમાં રિબાવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જો સંસારમાં પડતા પહેલા તેણે થોડો વિચાર કર્યો હોત કે, “આનું result શું આવશે ?' તો તે બચી ગયો હોત. પણ ઉતાવળમાં તેણે વગર વિચાર્યું પગલું ભર્યું જેના ફળ તેણે જીવનભર કે અનેક ભવો સુધી) ભોગવવા પડે છે. સંસારમાં પડતા પહેલા જે વિચાર કરે છે તેને સંસારમાં પડવાનું મન થતું નથી. તેથી તેને પાછળથી પસ્તાવું પડતું નથી. જે વિચાર્યા વિના સંસારમાં ઝંપલાવે છે તે રોઈ રોઈને જીવન પૂરું કરે છે. જે વ્યક્તિ સંસારના મોહમાં ફસાતો નથી, પણ તેનું સાચું સ્વરૂપ વિચારે છે તેને સંસારમાં પડવાનું મન થતું નથી. પરિણામે તે ઘણા દુઃખોથી બચી જાય છે અને ઘણા સુખોનો સ્વામી બની જાય છે. આપણે બુદ્ધિશાળી છીએ કે મૂરખ ? જો આપણે બુદ્ધિશાળી હોઈએ તો પરણીને સંસારની ખીણમાં પડવાની મૂરખાઈ આપણે કદી કરવી ન જોઈએ. સંયમ લઈ નિર્મળ બ્રહ્મચર્યના પાલનપૂર્વક ઉત્તમ સંયમસાધના કરી આપણે આત્મકલ્યાણ કરવું જોઈએ. જો પરણીને સંસારમાં પટકાયા તો મૂરખામાં ખપવાનો વારો આવશે. માટે ચેતી જવા જેવું છે. “સાવધાન ! આગળ ખતરો છે !' આ વાક્યને હૃદયસ્થ કરવા જેવું છે. * * * * વિદ્વાનો ઐ પર્યપ્રિય હોય છે विपश्चितां न युक्तोऽय-मैदम्पर्यप्रिया हि ते / यथोक्तास्तत्पुनश्चारु, हन्ताऽत्रापि निरूप्यताम् // 309 // - યોવિન્દ વિદ્વાનોને માટે આ વક્રતા ભરેલો આગ્રહ યોગ્ય નથી, કેમકે સાચા વિદ્વાનોને ઔદંપર્ય (રહસ્યાર્થી પ્રિય હોય છે. કાલાતીતે (અન્ય દર્શનના એક વિદ્વાને) જે કહ્યું છે તેમાં પણ ઔદંપર્ય શુદ્ધ છે. આ બાબત સૂક્ષ્મબુદ્ધિથી વિચારવી. વિદ્વાનો એદંપર્યપ્રિય હોય છે. ર૫,.,

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114