________________ આલોચના તરત કરવી એક વાણિયો પાન વેચતો હતો. તેને ટાલ હતી. એક સૈનિકે વાણિયાને મજાકમાં કહ્યું, “એ ટાલિયા ! મને પાન આપ.” વાણિયાને ગુસ્સો આવ્યો. તેણે પાન ન આપ્યું. સૈનિકે ગુસ્સે થઈને તેના માથે ટપલી મારી. - વાણિયાએ વિચાર્યું, “જો ઝઘડો કરીશ તો સૈનિક દુભાશે અને મને મારી નાખશે. તેથી ટપલી માર્યાનો બદલો ઉપાયથી વાળું.” આમ વિચારી તેણે સૈનિકનો હાથ મસળ્યો અને કહ્યું, ‘તમને વાગ્યું તો નથી ને ?' પછી તેણે તેને કપડાની જોડ આપી, તેના પગમાં પડ્યો અને તેને ઘણા પાન આપ્યા. સૈનિકે પૂછ્યું, “તને કેમ મારી ઉપર ગુસ્સો ન આવ્યો ? તું કેમ મારા પૂજા-સત્કાર કરે છે ?' જ રીતભાત છે.” સૈનિકે વિચાર્યું, “જો આવું હોય તો કોઈ શ્રીમંત ટાલિયાના માથે ટપલી મારું જેથી તે મને ઘણું ધન આપે. તેથી મારી દરિદ્રતા દૂર થાય.' આમ વિચારી તેણે એક ટાલિયા ઠાકોરના માથે ટપલી મારી. ઠાકોરે ગુસ્સે થઈને સૈનિકને મારી નાખ્યો. આમ વાણિયાએ બુદ્ધિથી વેરની વસુલાત કરી. ઉપનય : જે એમ વિચારે છે કે “વારંવાર આલોચના કરવાની શી જરૂર છે ? છેલ્લે એક જ વાર આલોચના કરવી જોઈએ. તેનાથી જ સંપૂર્ણ શુદ્ધિ થઈ જશે. નાની નાની આલોચનાઓ કર્યા પછી પાછા દોષો લાગે જ છે અને આત્મા મલિન થાય જ છે. એના કરતા છેલ્લે એક મોટી આલોચના *..20... આલોચના તરત કરવી