________________
કલામૃત ભાગ-૫
હોય તો એમાંથી ઘટવું થાય), ન જ હોય તો ઘટવાનું ક્યાં આવ્યું ? વાત સમજાય છે કાંઈ ? આહા.હા.! હજી અંદર અશુદ્ધતા છે. આ...હા...હા...હા...!
મહા મુનિ છે ! ત્રણ કષાયનો અભાવ (થયો છે) અને પ્રચુર આનંદનું જેને વેદના છે એને પણ હજી પંચ મહાવ્રતના પરિણામ (થાય છે) ઈ જગતપંથ –જગપંથ) છે એમ કહે. આ.હા...હા...! એને પણ એટલો હજી સંસાર છે. આહા...હા...! અહીં કહે છે કે, સમ્યકુદૃષ્ટિ અશુદ્ધપણે પરિણમતો નથી. ઈ શુદ્ધની દૃષ્ટિ છે અને એનો વિષય શુદ્ધ છે માટે શુદ્ધપણે પરિણમે છે એમ કહ્યું છે. આહા..હા..! હવે આવું બધું ક્યાં મેળ કરવા જાય ? એકાંત ખેંચે તો ન ચાલે, આ વીતરાગમાર્ગ છે. આહા..હા..!
પેલામાં આવ્યું છે, નહિ ? “સિદ્ધત્વી’ પરમાર્થ વચનિકા'માં ! અસિદ્ધપણું છે ત્યાં સુધી સંસાર છે, ત્યાં સુધી વ્યવહાર છે. સિદ્ધને વ્યવહાર નથી. નહિતો સિદ્ધની પર્યાય છે એ વ્યવહાર છે પણ એને વ્યવહાર નથી. એ તો શ્રુતજ્ઞાની જ્યારે પોતાના જ્ઞાનમાં નિશ્ચયથી જ્યારે ભેદ જાણે છે કે, સંસાર અને સિદ્ધ એવી જીવની બે દશાઓ છે એ વ્યવહારથી છે. નિશ્ચયથી દ્રવ્યમાં એ સંસાર અવસ્થા કે મોક્ષ અવસ્થા બન્ને નથી. આવી વાતું ! છે ને પેલામાં ? “સિદ્ધવાન્ ! આહાહા...! “મોક્ષમાર્ગ પ્રકાશક'માં પાછળ નાખ્યું (છાપ્યું) છે. જ્યાં સુધી સિદ્ધ નથી ત્યાં અસિદ્ધ છે અને ત્યાં સુધી હજી એને અશુદ્ધતા છે. આહા..હા..! અહીં કહે છે કે, સમ્યક્દષ્ટિને એકલું શુદ્ધ પરિણમન છે. એ પરિણમન જ્ઞાતા-દષ્ટા તરીકે ગણી અને અશુદ્ધતાને પણ એ જાણનારો છે, મારો માનીને પરિણમતો નથી એ અપેક્ષાએ શુદ્ધપણે પરિણમે છે) એમ કહ્યું છે. આમાં જરી આડોઅવળો ફેરફાર કરે તો તત્ત્વ – આખી વાત ફરી જાય. સમજાણું કાંઈ ? આહા..હા...!
સમ્યગ્દષ્ટિ સ્વભાવગુણરૂપ પરિણમ્યો” “સ્વભાવગુણરૂપ પરિણમ્યો' ! ત્રિકાળી જે જ્ઞાયક સ્વભાવ છે, આનંદ આદિ અનંત જે સ્વાભાવિક ગુણ છે તે રૂપે પરિણમ્યો છે. આહા... ‘સર્વગુણાંશ તે સમકિત એમ આવ્યું ને ? “શ્રીમમાં” ! આપણે “રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં આવે છે. “મોક્ષમાર્ગ પ્રકાશક'માં ! સમ્યફદૃષ્ટિને જેટલા ગુણો છે તે એકદેશ પ્રગટ થયા છે અને સર્વજ્ઞને પૂર્ણ પ્રગટ થઈ ગયા છે. છે ચિઠ્ઠી? “ટોડરમલજીની ‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ! આહા...હા....!
ત્યાં એમ કહે કે, સમ્યક્દષ્ટિને... ત્યાં એમ કહ્યું ને? “સર્વગુણાંશ તે સમતિ સર્વ ગુણ પ્રગટ થઈ ગયા. સર્વ ગુણનો અંશ પ્રગટ્યો છે. ભાઈ ! આવી વાતું હવે. અને (‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં) એમ કહ્યું કે, સર્વ ગુણો એક અંશે – એકદેશ પરિણમ્યા છે. પરિણમ્યા છે, હોં! ગુણ તો ગુણ આખા છે પણ એકદેશ પરિણમ્યા છે. ત્યારે બીજો દેશ હજી બાકી છે ને ? અશુદ્ધનું એટલું પરિણમન છે ને ?
એ પહેલાં આવી ગયું છે – જ્ઞાનધારા અને કર્મધારા. જ્ઞાનીને બે ધારા હોય છે. જેટલું આત્માના સ્વભાવનું શુદ્ધપણું – દૃષ્ટિ, જ્ઞાનનું પરિણમન થયું એ જ્ઞાનધારા, શુદ્ધધારા છે