________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ (૭) દુદુભિ–દેવતાઓ આકાશમાં દેવદુંદુભિ વગેરે કોડે ગમે વાજિંત્ર વગાડે છે. તેથી જાણે તેઓ એમ કહેતા ન હોય કે ભળે ! પ્રમાદને દૂર કરીને મુક્તિપુરીના સાર્થવાહ સમાન આ ભગવાનને તમે સે. .
(૮) છત્ર–ભગવાનના મસ્તક ઉપર ઉપરાઉપરી શરદપુનમના ચંદ્ર જેવા, મોતીની માલાએથી વિભૂષિત ત્રણ શ્વેત છત્રે દેવતાઓ ધરે. સમવસરણની નિશ્રાએ બાર છત્ર ધરે. તે જાણે એમ ન કહેતા હોય કે ત્રણ ભુવનના પરમેશ્વર એવા ભગવંતને સે !
એ રીતે આઠ પ્રાતિહાર્યના આઠ ગુણ થયા.
(૯) અપાયાપગમાતિશય–અપાય એટલે ઉપદ્રવ તેને અપગમ એટલે નાશ. જયાં ભગવંત વિચરતા હોય ત્યાં દરેક દિશાએ પચીસ-પચીસ યોજન, ઉપર અને નીચે સાડાબાર-સાડાબાર યેજન મળી સવાસે જનમાં પ્રાય: રોગ, મરકી, વર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ આદિ થાય નહિ,
(૧૦) જ્ઞાનાતિશય–ભગવાન કેવળજ્ઞાન-કેવળદર્શન કરી સર્વ લોકાલોકના ત્રણે ય કાળના સર્વ ભાવે જાણે દેખે છે. એમનાથી કાંઈ છાનું નથી.
(૧૧) પૂજાતિશય–ભગવાનને બળદેવ, વાસુદેવ, ચક્રવર્તિ તથા ચાર નિકાયના દે=ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવતાઓ, તથા તેમના ઇદ્રો વગેરે જગત્રયવાસી ભવ્યજીવે તેમની સેવા કરે છે.
(૧૨) વચનાતિશય–ભગવંતની વાણુ સંસ્કારાદિક