________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૧ )
૧૮. સિંધવ ત્રણ ભાગ અને પીપર એક ભાગ લેઈને બકરીના દૂધમાં કે પાણીમાં વાટીને તેની ગોળી કરવી. એ ગેળી પાણીમાં ઘસીને આંજવાથી આંખમાં થતી ચળ, તેમાંથી નીકળતાં અશ્રુ અને ચીપડાં નાશ પામે છે.
૧ બકરીનું દૂધ તથા મૂત્ર એકત્ર કરીને ચણોઠીનું મૂળ તેમાં વાટીને આંખમાં પૂરવાથી મેટ તિમિર રેગ પણ જલર્દીથી મટી જાય છે.
૨૦. તવખીર, પીપર, સિંધવ, જેઠીમધ, હરડે, બેઠાં, આમળાં, એ સર્વ ચાર ચાર તોલા લેવાં. યવા સશર્કરા અઠ્ઠાવીસ તોલા લેવી. પછી એ સર્વને એકત્ર વાટી ચૂર્ણ કરવું. એ ચૂર્ણ રાત્રે ખાવાથી તિમિર, ચીપડાં, ચળ, આંસુ નીકળ્યા કરવાને રેગ, એવી અનેક પ્રકારની નેત્ર રોગની પીડા ઘણી જલદીથી મટી જાય છે.
૨૧. હરડે, બેઠાં, આમળાં, લેહભસ્મ, પટેલ, જેઠીમધ, એ સર્વમાંથી હરડે બે ભાગ લેવી, બેઢાં ત્રણ ભાગ લેવાં, આમળાં ચાર ભાગ લેવાં, બાકીની વસ્તુઓ એક એક ભાગ લેવી, અને વાસશર્કરા અગિયાર ભાગ લેવી. એ સર્વનું ચૂર્ણ કરીને તે ચૂર્ણ ઘી સાથે પીવાથી આંખના તમામ રેગ નાશ પામે છે.
૨૨. વાવડીંગ, સિંધવ, પીપર, એ સર્વે એક એક ભાગ લેવું. રસાંજન ત્રણ ભાગ લેવું. એ સર્વને કાંજીમાં વાટીને લેપ કરવાથી આંખે ચીપડાં વળવાને રેગ, આંસુ ગળવાનો રેગ, અને ચેળ, એ સર્વે મટે છે.
૨૩. આસંધનું ચૂર્ણ ત્રિફળાના કવાથની સાથે પીવાથી તિમિર, પડળ, અને દાંતના રોગ પણ મટે છે.
૨૪. શંખની નાભિ, વજ, હરડે, મરિયાં, બેઢાંની મીજ, એલચી, એ સર્વે સમ ભાગે લઈને મનુષ્યના મૂત્રમાં વાટીને તેની ગોળી કરી છાંયડે સૂકવવી. એ ગળી આંજવાથી તિમિર, ચીપડાં, ફૂલ, અને પડળ, નાશ પામે છે.
For Private and Personal Use Only