________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) ૨ અગર, વરણવાળો, કમળ, લેધર, સફેદ ચંદન, એ ઐષધોને કવાથ મધ સાથે પીવાથી પિત્તપ્રમેહ નાશ પામે છે.
૩ હળદર, દારુહળદર, વાવડીંગ, હરડે, શુંઠ, એ સર્વે સમાન લઈને તેને કવાથ કરીને પીવાથી કફ પ્રમેહ મટી જાય છે.
૪ સફેદચંદન, દેવદાર, હરડે, અગર, એ ઔષધો સમાન લઈને તેને કવાથ મધ સાથે પીવાથી કફ પ્રમેહ મટે છે.
૫ મેથ, ભદ્રમોથ, હળદર, પહાડમૂળ, ગળે, દેવડુંગરી (?) ખેર, ઉપલેટ, એ સર્વને ત્રિફલાના પાણીમાં વાટીને તેને રસ કા. ઢિીને તેમાં મધ નાખીને પીવાથી અનેક પ્રકારના પ્રમેહ નાશ પામે છે. - ૬ અથવા એકલી ત્રિફળા લેઈને તેને મધ સાથે પીવાથી અનેક પ્રકારના પ્રમેહ મટે છે.
૭ અથવા મધ સાથે અરણિને રસ પીવાથી પીડા સહીત પ્રમેહ મટે છે.
૮ અથવા મધ સાથે પાષાણભેદ પીવાથી દારૂણ એવા પ્રમેહને મટાડે છે.
૯ મધ સાથે ગળાને રસ પીવાથી સઘળા પ્રકારના પ્રમેહ મટે છે.
૧૦ અથવા હળદર અને હરડેની સાથે આમળાનો રસ મેળવીને તેમાં મધ નાખીને પીવાથી સઘળા પ્રમેહ મટે છે.
બહુધા વાત પ્રમેહ અસાધ્ય છે, માટે તેના ઉપાય આ ગ્રંથમાં લખ્યા નથી.
મૂત્રકૃચ્છુનું લક્ષણ वातशीद्रिये शूलं मूत्रं स्वल्पं पुनः पुनः । घातोत्थमूत्रकृच्छ्रस्य लक्षणं कथितं बुधैः ॥ ७२ ।। रक्तं पीतं भवेन्मूत्रं पीडा दाघश्च शेफसि । पित्तोत्थमूत्रकृस्य लक्षणं कथितं बुधैः ॥ ७३ ॥ वातशीद्रिये पीडा शोफो मूत्रं च पिच्छलम् । श्लेष्मले मूत्रकृछ्रे स्याश्चिन्हं मिश्रं त्रिदोषजे ॥ ७४ ॥
૧૬
For Private and Personal Use Only