Book Title: Hitopdesh
Author(s): Kanthsuri, Chhotalal N Bhatt
Publisher: Shravak Bhimsinh Manek
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૨ ) મોદ, એ સમાન ઔષધીનું ચૂર્ણ સાત દિવસ ઉન્ડા પાણીમાં ફાકવાથી સર્વ તાવને મટાડે છે.
શંગ્યાદિ ચૂર્ણ. કાકડાસીંગ, સુંઠ, મરી, પીપર, હરડે, બેઢાં, આમળાં, રીંગણી, ભારીંગ, પુષ્કર મૂળ, પંચલવણ, એ સહુનું સમાન ભાગે ચૂર્ણ કરી ઉન્ડા પાણીમાં ફાકવું, તેથી સ્વાસ, ઉધ્ધવાતકાસ, પીનસ, એ રોગને મટાડે છે.
ઉદવિજય ચૂર્ણ બાલબીલી, અજમોદ, વજ, ચિત્રા, હિંગ, વછનાગ, અતિવિષ, સવા, ચવક, પંચલવણ, પીપરીમૂળ, જવખાર, ઇંદ્રજવ, શુંઠ, મરી, પીપર, હરડે, બેઢાં, આમળાં, તજ, તમાલપત્ર અને એલચીનું ચૂર્ણ કરી ઉન્ડા પાણીમાં અર્ધા તોલો દીવેલ નાંખીને આપવું; એથી સંગ્રહણી, પાંડુરોગ, શ્વાસ, અને શૂળને મટાડે છે.
વિશ્વાદિ ચૂર્ણ. શુંઠ, સંચળ, પુષ્કરમૂળ, અને હિંગ, સમમાત્રા ચૂર્ણ ઉન્હા પાણીમાં લેવું તેથી હદય શૂળ મટે છે.
ગંગાધર ચૂર્ણ અજમેદ, ચરસ, શુંઠ, અને ધાવડીનાં ફૂલનું, સમયાત્રા ચૂર્ણ ગાયની છાશના પાણીમાં લેવું, તેથી અતીસાર મટે છે.
એલાદિ ચૂર્ણ. એલચી, પાષાણભેદ, શિલાજીત, અને પીપરનું, સમમાત્રા ચૂર્ણ ચોખાના ધાવણમાં લેવું, તેથી પ્રમેહ મટે છે.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262