Book Title: Hitopdesh
Author(s): Kanthsuri, Chhotalal N Bhatt
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 230
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૯ ) રસ થાય છે. એ રસ સંગ્રહણી, આમવાયુ, અને મંદાગ્નિને મટાડે છે. આ રસ મરીના અનુપાનથી આપવામાં આવે તે જઠરાગ્નિ જલદીથી પ્રદિપ્ત થાય છે. વળી એ શ્વાસ, ઉધરસ, વમન તથા કૃમિને નાશ કરે છે. કુમકુઠાર રસ. આઠ ભાગ કપૂર, એક ભાગ કડાછાલ, એક ભાગ ત્રયમાણે, એક ભાગ અજમે, એક ભાગ વાવડીંગ, એક ભાગ હીંગળેક, એક ભાગ નાગકેસર અને એક ભાગ ખાખરનાં બીજ, આ સર્વેનું બારીક ચૂર્ણ કરી ભાંગરાના રસની અને બ્રાહ્મીના રસની ભાવના દેવી એટલે કૃમિકુઠાર સિદ્ધ થાય છે. આ રસની એક એક વાલભારની ગોળીઓ કરવી. આ ગોળી ધંતુરાના પાંદડાની સાથે ખાવામાં આવે છે તેથી કૃમિને નાશ થાય છે. ચંદ્રકલા રસ, - એલચી, કપૂર, સાકર, જાયફળ, આમળાં, ગોખરૂ, સીમલાની છાલ, પારાની ભસ્મ, કથીરની ભસ્મ, અને લોઢાની ભસ્મ, આ સર્વ ઔષધોને બરાબર ભાગે લઈ તેઓને ગળાના તથા સીમલાના કવાથની ભાવના આપી, બાર બાર ચણોઠીભારની ગેળીઓ કરવી. આ ગોળી મધની સાથે ખાવાથી સર્વ પ્રમેહ દૂર થાય છે. ત્રિપુરભૈરવ રસ, * એક ભાગ વછનાગ, બે ભાગ સુંઠ, ત્રણ ભાગ પીપર, ચાર ભાગ મરી, પાંચ ભાગ મારેલું ત્રાંબુ, અને છ ભાગ હીંગળાક, આ સર્વનું ચૂર્ણ કરવું. આ ત્રિપુરભર રસ, સન્નિપાતને તેમજ જવરને નાશ કરે છે. આ રસ અડધી રતી લે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262