________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૬). लज्जापाठेषुपुंखाणामेकैकं जलसदितम् । मूलमालेपमात्रेण शस्त्रघातप्ररोहकृत् ॥ ६४ ॥ काकजंघप्रलेपो वा शस्त्रघाते दिनत्रयात् । पाकं पूर्य विना रोहं नयत्येव न संशयः ॥ ६५ ॥ त्रिवृन्मधुतिलादंती निंबपत्रैः ससैंधवैः ।
दुष्टव्रणविनाशाय लेपोत्यंतविशोधनः ॥ ६६ ॥ ૧ જેમાંથી દૂધ નીકળતું હોય એવા ઝાડના અંકુર તથા ઘી એ બેને મિશ્ર કરીને લેપ કરવાથી ગૂમડાં વગેરેને રૂઝ આવે છે. તેમજ ત્રિફલા, વડની ટીશીઓ, ત્રાયમાણ, અને લેધરનો લેપ પણ તેજ ગુણ કરે છે.
૨ સાદડ, ઉમડે, પીપળે, લેધર, જાનૂડે, એ વૃક્ષની છાલ સરખે ભાગે લેવી તથા તેમાં જેઠીમધનું લાકડું, કાયફળ અને લાખ નાખી ચૂર્ણ કરવું. એ ચૂર્ણ વ્રણને રૂઝ આણે છે.
૩ શરપંખાનાં મૂળ દાંતે ચાવીને તેને રસ ત્રણ ઉપર પડવાથી તથા તેના કુચા ત્રણ ઉપર બાંધવાથી ત્રણ રૂઝે છે.
૪ અથવા ભેશને પ્રસવ થાય તે વખતનું તેનું છાણ લાવીને તેને લેપ કરવાથી ત્રણને રૂઝ આવે છે.
૫ સહદેવીના મૂળને દાતે ચાવીને તેને રસ કાઢી તથા તેમાં દંતીમૂળનું ચૂર્ણ મેળવી તેને ધોળા વસ્ત્રવડે ત્રણ ઉપર બાંધવાથી તરતને ઘા પડયા હોય તેને રૂઝ આવે છે.
૬ લાજાળુ, પહાડમૂળ, કે શરપંખે, એ ત્રણમાંથી ગમે તે એકનું મૂળ પાણીમાં વાટીને લેપ માત્ર કરવાથી શસ્ત્રઘાત થયે હેય તેને રૂઝ આવે છે.
૭ શસ્ત્ર વાગ્યું હોય તે ઉપર કાકજઘા (કાગવૃક્ષ?) ને લેપ ત્રણ દહાડા કરવાથી પકવ્યા સિવાય કે પરૂં થવા દીધા સિવાય અંકુર આણે છે એમાં સંશય નથી.
૮ નસોતર, મધ, તલ, દંતીમૂળ, લીમડાનાં પાંદડાં, સિંધવ, એ ઔષધોને લેપ ન રૂઝે એવું ચાંદુ હોય તેમાંથી મળ કાઢી નાખીને તેને રૂઝ આણે છે.
For Private and Personal Use Only