Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નાખી દેતે હતે. આ વાત કેઈ ન જાણે તે ખાતર એ કુવા ઉપર તેણે એક ઢાંકણું રાખ્યું હતું. જેનાથી તે કુ ઢાંકેલો રહેતો હતે. આ ચોરને અનેક પુત્ર અને અનેક પુત્રી હતી. આ બધાને જોઈ ને તેને વિચાર થયો કે મારે ઘણાં સંતાન છે. મેં ઘણું કટથી એકઠા કરેલ દ્રવ્યને તે સઘળા નાશ કરી દેશે. માટે મારે એવું કરવું જોઈએ કે “ન રહે વાંસ અને ન વાગે વાંસળી” આ કહેવત પ્રમાણે એવું કરવું જોઈએ કે જેથી કોઈ જીવતું ન રહે. સારામાં સારો ઉપાય એ છે કે, એ સઘળાંને મારી નાખવામાં આવે. પરંતુ
જ્યાં સુધી એ બાળકની મા જીવે છે ત્યાં સુધી એ બની શકવું મુશ્કેલ છે. માટે સૌ પ્રથમ બાળકોની માતાને જ મારી નાખવી જોઈએ. એ પછી સંતા. નેને વાર. આ પ્રમાણે વિચાર કરી તેને અમલમાં મૂકો અને તેણે પોતાની પત્નિને અને સર્વ સંતાનને મારી નાખીને કેઈ એક કુવામાં નાખી દીધાં. પછી એ ચેર બીજી વખત પરણ. એ સ્ત્રીને પણ સંતાન સહિત મારી નાખી. ત્રીજી વખત પરણ્યો. પણ આ પત્ની ખૂબ જ સુંદર અને દેખાવડી હતી.
આ સ્ત્રીથી તેને એક બાળક થયું. પરંતુ તે સ્ત્રીના રૂપ ઉપર ચાર ઘણેજ આસક્ત હોવાના કારણે તેને મારવાનો વિચાર પણ ન આવ્યે. જ્યારે તેની ત્રીજી સ્ત્રીથી થએલ બાળક આઠ વર્ષનું થયું ત્યારે તે બાળકને જોઈને ચેરને વિચાર આવ્યું કે, મેં આ શું ભૂલ કરી ? મેં હવશ થઈને તેની માને જીવતી રાખી પરંતુ મારી ભલાઈતે એમાં જ છે કે, તેને મારી જ નાખવામાં આવે અને પછી તેના બાળકને વારો. એવો વિચાર કરી તેણે તે સ્ત્રીને પણ મારી નાખી અને જલદીથી કોઈ કુવામાં તેના શબને નાખી દીધું. છેકરાએ પિતાની માતાને મારી નંખાતી નજરે જોઈ અને પિતાના મરણના ભયથી ડરીને ઘરની બહાર નાસી ગયો અને ઘણું જ જોર જોરથી ચીસ પાડીને કલ્પાંત કરવા લાગ્યા. આ બાળકનું દયા આવે તેવું આકંદ સાંભળીને કે તેની આજુબાજુ ટોળે વળી ગયા અને તેને પૂછવા લાગ્યા, હે બાળક! તું શા માટે રડી રહ્યો છે ? બાળકે કહ્યું, મારા બાપે મારી માને મારી નાખી ને હમણાં જ કુવામાં નાખી દીધી છે. આ વાતને સાંભળી રાજ્યના સીપાહીઓ તથા અન્ય નાગરિકેએ તેના ઘરમાં ઘુસી જઈને જડતી લીધી અને તપાસ કરતાં દ્રવ્યથી ભરેલો કુવે તેમના જોવામાં આવ્યું. તે પછી જે કુવામાં ચારે તેની પત્નિને-તે બાળકની માતાને મારીને નાખી દીધી હતી તે કુવો તે બાળકે નગરવાસીઓને બતાવ્યું. તે કુવામાં બાળકના કહેવા પ્રમાણે તેની માતાનું શબ તથા હાડકાનાં ઢગલા જોયા. પુરા મળતાં રાજ્યના અધિકારીઓએ તેની ધરપકડ કરી.
ચોરને મુશ્કેટોટ બાંધીને રાજપુરૂષોએ તેને રાજાની સમક્ષ રજુ કર્યો. રાજાએ તે ચરે ચોરેલું સઘળું ધન જપ્ત કર્યું. તથા તે ચેરીના માલના સાચા માલિકેની તપાસ કરાવી તેમને તેમનું ધન સુપ્રત કર્યું, અને તે ચારને કેરડા વગેરેથી માર મરાવીને મતની શિક્ષા કરી. આ કથાને સાર એ છે કે, ધનની તૃણુને પરિત્યાગ કરી મનુષ્ય ધર્મની રક્ષા કરવી જોઈએ. જે ૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨