Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ નમતા નથી તેને લીધે જાણે ચુંબન કરતે હોય શું એવો શોભે છે. 76. અતિ સાહસવાળાં જેનાં બાણ પરશુરામના બાણને ગર્વ ખમી શક્યાં નહીં કેમકે પરશુરામનાં બાણ ક્રાંચ પર્વતમાં છિદ્ર પાડવામાંજ ડાહ્યાં છે. અને આનાં બાણ તો હજારે ભૂભુત્વ (પર્વત અને રાજાઓ) ના અંગમાં છેદ પાડનારાં છે. , 77, : ગર્વિષ્ટ શત્રુના દેહમાં, સંગ્રામમાં ચળાવવાથી સૂત્ર બાકી રહ્યું એ હાર થઈ જવાથી જેને યજ્ઞોપવીતની બ્રાંતિથી મારવામાં થોડી વાર વિન નડયું. 78. તે પછી ચાલુક્ય સિંહાસનનું ઘરેણાંપણું શ્રી જયસિંહદેવ પામ્યા જેના હાથીના યુદ્ધમાં મોતીની પેઠે મોટા યશો શોભવા લાગ્યા, 79. જેના પ્રતાપે પીડાતી શત્રુરાજાઓની મહારાણીઓ ચંદનના ગારાવાળા પ્રિયના ખોળામાં લોટવાનું સ્મરણ કરે છે. . જેને પ્રતાપરૂપી સૂર્ય સવારમાં જેમ, તેમ સંગ્રામમાં પ્રતિષ્ટા ધારી રહ્યા છે ત્યારે સૂર્યકાંત મણિ જેવા કયા રાજાને તાપ પ્રગટ નથી થયો. 81. જેની ચઢાઈમાં સેનાના ભારથી આખી પૃથ્વી લાયમાન થઈ છે, તેથી આળ ત્રણવાળા પૃષ્ટ ઉપર પીઠ લગાવ્યાથી કૂર્મપતિને અકર્મઠ કરી નાંખે. જેના શત્રુ રાજાઓ, મુગટમાંના માણેકના કિરણોની લેહેરથી ઢંકાઈ ગયા છે તેથી ચિતાને અગ્નિ હશે એ ભય રાખી લડાઈમાં શીયાલડીએ તેને એકાએક ગ્રહણ કરતી નથી. 83. જે ચઢાઈમાં દિગ્યાળોની પુરીને લુટીને કેવળ હાથીઓને ન લઈ શો કેમકે તેઓ તે સાચ્છદ (સાત વણ) ના જેવી ગંધવાળા જયના હાથીની ગંધથી ભાગી ગયા છે. 84. 1 અકર્મઠ કર્મકાંડ રહિત. આર્તવણવાળા પૃષ્ટ ઉપર પીઠ માંડવું પડ્યું તેથી તેની કર્મઠતામાં ખલેલ પડી, કેમકે પીઠ નીચે હોય ઉપર હોય નહીં. - 2 આ નામની એક ઔષધિ થાય છે જેની ગંધ બહુ ઉગ્ર હોય છે (કહે છે કે તે કવીનાઈનને ગુણ ધરાવે છે ) Jun Gun Aaradhak Trust