Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text ________________ 171 41. એ રાજા સુવર્ણ દાન આપવાને ફર્યો તેથી હીતે એવો મેરૂ પર્વત ધોળો થઈ જવા સારૂ પારાના પીંડાની શંકાથી, ઉંચાં શિખરે વડે જાણે ચંદ્રનો સ્પર્શ કરતો હોય ? (એટલે સોનાને પારાને સ્પર્શ થાય તે ધોળું થઈ જાય) 38. - શત્રુને જીતીને બ્રાહ્મણોના કલ્પવૃક્ષ જેવો એ રાજા જ્યારે સુવર્ણનું તુલાદાન કરવા ત્રાજવા ઉપર હડ્યો ત્યારે કદિ અગત્ય ઋષિ આવશે - તે એવી શંકાથી (સામા ત્રાજવામાં કરેલા સેનાના) પર્વતની ઉંચાઈ વધારવાને મનોરથ થયો. 39. જે અતિ સ્વચ્છ સુવર્ણ આપે છે તેથી જે એ રાજાનાથી શંકા રાખીને પિતાના હેમમાં આકાશની લક્ષ્મીના પ્રતિબિંબને બહાને મેરૂ પર્વત જાણે કાલિકાની સંગતી બતાવી હોય? 40. * દાન આપવાની ક્રીડામાં રસિક એવા પ્રતાપી એ રાજાએ રાજાઓનાં - કુળ ખાલી કરી મુક્યાં અને સુવર્ણવડે યાચકનાં ઘર અને ઉજળા યશ વડે દિશાનાં મુખ ભરી દીધાં. ચક્રવર્તિઓની માથે સ્થિતિ કરનારા એ રાજાએ જગતના ટોળાંની સમૃદ્ધિ કરવામાં તત્પર થઈને ઉદાર પ્રકૃતિવાળો તે દરિદ્રને પેદા કરનારા બ્રહ્માની સામે થયો. 42, - શત્રુઓના દુકાળ (શત્રુઓ ખુટી જવાથી) ગભરાવ્યો એવોએ શૈર્યથી ખાજવતી ભુજાવાળો રાજા બળથકી ગર્વિષ્ટ થયેલા ચેલ રાજાને સાંભળીને લડાઈની તૃષ્ણાવડે કાંચી ભણી પાછો ચાલ્યો. 43, લક્ષ્મી પેદા કરવાવાળું સમુદ્રનું મંથન, કજીયો વહાલે જેને છે એવા મુનિ (નારદ) ની આંખને તૃપ્ત કરનારું અને સ્વર્ગની અપ્સરાઓને વેચાતું લેવા લાયક બાર એવું રણ ક્રમે કરીને તે બંનેએ ચલાવ્યું. 44. મહાવીરોની તરવારની લાકડીઓ, ઉછળતા વીરરસની લેહેરે જેવી નિર્મળ, તે મ્યાનરૂપી દરના મધ્યમાંથી નીકળી તે યમની પાશના સર્પ સરખી શોભે છે. 45. એક બીજાની અદેખાઈથી જયલક્ષ્મીના ઘણું સૈભાગ્યને આધીન થયેલા દેડ્યા અને બંને સેનામાં યોદ્ધાઓ ઉતાવળ કરતાં પિતાથી આગળ ગયેલાં બાણો વડે કાંઈક ખેદ પામ્યા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Loading... Page Navigation 1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221