Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 173 ના હાથીના દાંત તીખાં બાણવડે ભગાઈ ગયા અને દૂર ઉડીને હેઠા પડ્યા તે દેવતાઓનાં પુલની શંકા લાવીને ભટ છેતરાયા નહીં પણ તેને મુગટમાં માર્યા. - 56. - હે મેનકા! તારે વરમાળાને ઠેકાણે સરસડાના પુલ જેવા કે મળ ભુજા ન નાંખવા જોઈયે (કેમકે) આ મોઘાં થઈ ગએલાં ફુલના વખતમાં સ્વર્ગની માળણે તારું લોભીપણું ગણે છે. - 57. અહીં કાંઈ ધણીનો દુકાળ નથી પડ્યો (તેમ છતાં) અન્ય અને સરાએ અંગીકાર કરેલાને જ શું ઈચ્છે છે. સુરાંગનાઓ પોતે પરીક્ષાના વિષયમાં હારી હુશીયારીને લોપ કરશે. 58. આ મૂછાથી મીંચેલી આંખવાળાઓને વ્યર્થ વિમાનમાં ઘાલ્યા છે (કેમકે) એઓ શુદ્ધિમાં આવીને ઉત્સાહવાળા થઈને ઠેકડે મારીને પાછા રણાંગણમાં પડે છે તે જો. . આ ભટનું આચરણ મર્યાદા વગરનું છે તે જે. જે પ્રથમ મેમાન થયા છે છતાં વિમાનના જાળીયામાંથી બીજીએ જોયો થકો તે પ્રતિ ઉ. તાવળો થયો તે.. જે તમારા બેના વાદમાં અને કોણે પ્રથમ માળા પહેરાવી એ હું અંતર જાણી શકતા નથી તેઓ સૌભાગ્યનો ભંડાર અને ભટને અગ્રણી વાણીવડે પોતેજ નિશ્ચય કરે. 61. આ સ્ત્રીએ સૌભાગ્યના મદથી ભટને લોભ પમાડીને લટકો કરી છપી જઈને તેને છેતર્યો. આ કામાંધ વેગથી હે ફેરવી ઉભેલી ને ભ્રમથી - પીશાચણુની પાસે જઈને તેને છોડી દે છે. પરોપકાર તરફ વળેલી વૃત્તિમાં નારદના જેવો કોઈ બીજે ડાહ્યા નથી કે જે ક્ષણમાં મહારણે ઉપજાવીને આપણી કામુકની દુર્ગતિ કાપે છે. 63. એ રીતે મહાવીરનાં કંઠ ગ્રહણ કરવાથી શાંત થએલા કૌતુકથી દેડતી એવી અપ્સરાઓની કામદેવનું જાગરણ કરતી હર્ષભરી વાત કાનને અમૃત સમાન થઈ પડી. 60. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust